
પાટણ, 04 જૂન (હિ.સ.) : હારીજમાં જલારામ મિત્ર મંડળ દ્વારા ગુરુવારે મુખ્ય બજારમાં ડ્રાયફ્રૂટ લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસાદનો લાભ એક હજારથી વધુ લોકોએ લીધો હતો. ગરમીમાં રાહત આપવા માટે મંડળ છેલ્લા બે મહિનાથી સતત મફત ઠંડા પીણાંનું વિતરણ કરી રહ્યું છે. આ પહેલ 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે અને દર ગુરુવારે જલારામ બાપાના પ્રસાદ રૂપે લસ્સી, કેરીનો રસ, લીંબુ શરબત અને વરિયાળી શરબત જેવા વિવિધ ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવે છે. આ ગુરુવારે ગોવિંદભાઈ દારૂખાનાવાળાની દુકાન આગળ ડ્રાયફ્રૂટ લચ્છી આપવામાં આવી હતી, જેમાં બદામ, કાજુ અને દ્રાક્ષનો સમાવેશ હતો.
આ લચ્છીનું વિતરણ સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચાલ્યું હતું. ભરબપોરની ગરમીમાં લોકોએ ઠંડી લચ્છી પીને રાહત અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જલારામ બાપા મિત્ર મંડળના જનકભાઈ ઠક્કર, રાકેશભાઈ ઠક્કર, ગોવિંદભાઈ ઠક્કર અને હિતેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ