
નવી દિલ્હી, 4 જૂન (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગામી ચર્ચાઓનો ઉદ્દેશ્ય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવાનો છે.
આ વાટાઘાટો ભારત-વેનેઝુએલા સંબંધોના તમામ પાસાઓને પણ આવરી લેશે અને ઉર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્યસંભાળ, પરિવહન અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં વધુ સહયોગ માટે માર્ગો શોધવાનો રહેશે. ડેલ્સી રોડ્રિગ્ઝ 3 થી 7 જૂન સુધી ભારતની મુલાકાતે છે. રોડ્રિગ્ઝ અગાઉ વિદેશ મંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તરીકે ઘણી વખત ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. આ તેમની ભારતની છઠ્ઠી મુલાકાત છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ