જામનગરમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં પીડિતાને 8 માસનો ગર્ભ, બાળકના જન્મ બાદ થશે ડીએનએ ટેસ્ટ
જામનગર, 05 જૂન (હિ.સ.) : જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના ચકચારજનક કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસ દરમિયાન સગીરાની તબીબી ચકાસણી કરાવવામાં આવતા તે આશરે આઠ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ
દૂષ્કર્મ નો આરોપી


જામનગર, 05 જૂન (હિ.સ.) :

જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના ચકચારજનક કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસ દરમિયાન સગીરાની તબીબી ચકાસણી કરાવવામાં આવતા તે આશરે આઠ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તબીબોના પ્રાથમિક અભિપ્રાય મુજબ આગામી ત્રણ સપ્તાહની અંદર સગીરા બાળકને જન્મ આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ કેસમાં પોલીસે આરોપી શબ્બીર અબ્બાસ મહુર સામે પોક્સો અધિનિયમ તેમજ દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ સગીરાના ગર્ભવતી હોવાની જાણ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ સગીરાને તેની માતાની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે, અને તબીબી નિરીક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. સગીરાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જરૂરી સારવાર અને દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, બાળકનો જન્મ થયા બાદ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે ભોગ બનનાર સગીરા, નવજાત બાળક અને હાલ જેલમાં રહેલા આરોપી શબ્બીર અબ્બાસ મહુરના ડીએનએ નમૂનાઓ મેળવી પરીક્ષણ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણ કેસની તપાસમાં મહત્વનો પુરાવો બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande