ઇઝરાયલના હવાઈ હુમલામાં લેબનાનના સૈન્ય પ્રમુખ બ્રિગેડિયર જનરલ રુડોલ્ફ હેકલ સહિત 12 લોકોના મોત
બેરુત (લેબનોન), નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.). અમેરિકાની મધ્યસ્થીથી ઇઝરાયલ અને લેબનાન વચ્ચે વોશિંગ્ટનમાં જાહેર કરાયેલ શરતી સૈન્ય વિરામ (યુદ્ધવિરામ, સીઝફાયર) દેખાડો સાબિત થયો. ઇઝરાયેલના તાજા હુમલામાં 12 લોકોના મોત થયા. મૃતકોમાં લેબનાનના સૈન્ય પ્રમુખ પણ
ઇઝરાયલે છ જૂને લેબનાન પર કહેર વર્તાવ્યો


બેરુત (લેબનોન), નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.). અમેરિકાની મધ્યસ્થીથી ઇઝરાયલ અને લેબનાન વચ્ચે વોશિંગ્ટનમાં જાહેર કરાયેલ શરતી સૈન્ય વિરામ (યુદ્ધવિરામ, સીઝફાયર) દેખાડો સાબિત થયો. ઇઝરાયેલના તાજા હુમલામાં 12 લોકોના મોત થયા. મૃતકોમાં લેબનાનના સૈન્ય પ્રમુખ પણ સામેલ છે. અધિકારીઓએ પુષ્ટિ કરી કે, સૈન્ય પ્રમુખ, એક કેપ્ટન અને એક સૈનિકના મોત થયા. તેમનું મોત ખારદલી-નબાતીહ રોડ પર યાત્રા દરમિયાન થયું. સૈન્ય પ્રમુખને પાકિસ્તાન પહોંચવાનું હતું. પાકિસ્તાન પહોંચતા પહેલા જ તેમનો જીવ લઈ લેવામાં આવ્યો. લેબનાનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દેશના સૈન્ય પ્રમુખ (સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ) બ્રિગેડિયર જનરલ રુડોલ્ફ હેકલને નિશાન બનાવવાને દેશની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો છે. આ હુમલાની ઘણા દેશોએ પણ કડક નિંદા કરી છે.

અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, ઇઝરાયલે છ જૂને લેબનાન પર કહેર વર્તાવ્યો. લેબનાનની સેનાએ પુષ્ટિ કરી છે કે, ઇઝરાયલના હવાઈ હુમલામાં ખારદલી-નબાતીહ રોડ પર અભેદ્ય મનાતું સૈન્ય વાહન નષ્ટ થઈ ગયું. તેમાં સવાર સેનાના સર્વોચ્ચ કમાન્ડર, કેપ્ટન અને એક સૈનિક માર્યા ગયા. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ કહ્યું કે, આ હુમલો સક્રિય યુદ્ધ ક્ષેત્રમાં થયો. આ ક્ષેત્રમાં અવરજવર માટે ઇઝરાયેલી સેના સાથે તાલમેલ જરૂરી છે. આઈડીએફએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

લેબનાની સેનાએ કહ્યું, ઇઝરાયલની જાણી જોઈને અને વારંવાર કરવામાં આવતી ક્રૂરતા અને આક્રમકતાનો હેતુ કોઈ સમાધાન સુધી પહોંચવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો છે. લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને આ હુમલાની નિંદા કરતા, તેને લેબનાનની સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ તથા નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું. વડાપ્રધાન નવાફ સલામે તેને એક ઘૃણાસ્પદ અપરાધ અને લેબનોન તથા તમામ લેબનોની લોકો પર હુમલો ગણાવ્યો. લેબનાનના વડાપ્રધાન સલામે નિવેદનમાં બ્રિગેડિયર જનરલ વસમ સબરા, કેપ્ટન એલી ખૌરી અને સૈનિક હુસૈન ઘોઝલના પરિવારો અને સહયોગીઓ સાથે-સાથે લેબનોની સેના પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી.

લેબનાનની સેનાએ જણાવ્યું કે, તેના સર્વોચ્ચ કમાન્ડર રુડોલ્ફ હેકલ પોતાના પાકિસ્તાની સમકક્ષ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે વાતચીત માટે પાકિસ્તાન જઈ રહ્યા હતા. લેબનોનમાં સક્રિય ઈરાન સમર્થિત સશસ્ત્ર આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે હુમલાને ઘૃણાસ્પદ અપરાધ ગણાવ્યો. સાથે જ લેબનાન સરકાર પર આરોપ લગાવ્યો કે, તેણે વોશિંગ્ટનમાં દુશ્મનની માંગણીઓ સામે સંપૂર્ણપણે ઘૂંટણ ટેકવીને દેશને લોહીયાળ સંઘર્ષ વચ્ચે ધકેલી દીધો છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ કહ્યું કે, આ હત્યાઓથી ફરી એકવાર સાબિત થાય છે કે, ઇઝરાયલ લેબનાનના દરેક હિસ્સા પર પોતાનો દાવો કરી રહ્યું છે. બઘાઈએ કહ્યું કે, આ લેબનાન, તેની સેના અને તેની સાર્વભૌમત્વ વિરુદ્ધ એક ઘૃણાસ્પદ અપરાધ છે. સ્પષ્ટ છે કે, ઇઝરાયલ લેબનાનમાં સુરક્ષા, સ્થિરતા કે સમૃદ્ધિ નથી ઈચ્છતું. સાઉદી અરબે આ હુમલા અને મિત્ર દેશ લેબનાન ગણરાજ્ય વિરુદ્ધ ઇઝરાયલની સતત આક્રમકતાની નિંદા કરી છે.

જોર્ડને કહ્યું કે, આ મિત્ર દેશ લેબનાનની સાર્વભૌમત્વ, સુરક્ષા અને સ્થિરતાનું ખુલ્લું ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. કતરે તેને ખતરનાક તણાવ અને લેબનાનની સાર્વભૌમત્વનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે. કતરના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે તેઓ દખલગીરી કરે. સમય આવી ગયો છે કે, ઇઝરાયલને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1701 ને સંપૂર્ણપણે લાગુ કરવા માટે મજબૂર કરવામાં આવે.

દક્ષિણ લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાએ કહ્યું કે, આવા હુમલા લેબનાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1701 નું ગંભીર ઉલ્લંઘન છે. સંયુક્ત રાષ્ટ્રના આ જ પ્રસ્તાવથી 2006માં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ સમાપ્ત થયું હતું. આ ઉપરાંત, લેબનાનની સરકારી નેશનલ ન્યૂઝ એજન્સી (એનએનએ) એ જણાવ્યું કે, સિડોન જિલ્લાના સકસાકિયા ગામમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં છ લોકોના મોત થયા અને ચાર અન્ય ઘાયલ થયા. નબાતીહ જિલ્લાના દેર અલ-ઝહરાનીમાં એક કારને નિશાન બનાવીને કરાયેલા ઇઝરાયલી ડ્રોન હુમલામાં એક વધુ વ્યક્તિનું મોત થયું.

ઇઝરાયલની સેનાએ કહ્યું કે, તેણે છેલ્લા બે દિવસમાં દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહના લગભગ 150 ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આમાં શસ્ત્ર ભંડાર ગૃહો, કમાન્ડ સેન્ટર, રોકેટ લોન્ચર અને માળખાકીય સુવિધાઓના સ્થળો સામેલ છે. ઇઝરાયેલી સેનાએ શનિવારે મોડી રાત્રે કહ્યું કે તેના બે સૈનિકો દક્ષિણ લેબનાનમાં માર્યા ગયા છે. બીજી તરફ, હિઝબુલ્લાહે બિન્ટ જેબિલ વિસ્તારમાં ઇઝરાયેલની ચોકીને ડ્રોન હુમલામાં ઉડાવી દેવાનો દાવો કર્યો છે.

મહત્વપૂર્ણ એ છે કે, સંઘર્ષ વિરામનો સિલસિલો 17 એપ્રિલથી ચાલી રહ્યો છે. અત્યાર સુધી તેનું ક્યારેય સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું નથી. હિઝબુલ્લાહ અને ઇઝરાયેલે અવારનવાર એકબીજા પર ઉલ્લંઘનના આરોપ લગાવ્યા છે. બે-ચાર દિવસ પહેલા વોશિંગ્ટનમાં લેબનાન અને ઇઝરાયલી દૂતોએ એક શરતી સૈન્ય વિરામની ઘોષણા કરી હતી. હિઝબુલ્લાહના નેતા નઈમ કાસિમે કહ્યું હતું કે, તેઓ આ સૈન્ય વિરામને નહીં માને. દક્ષિણ લેબનાનથી ઇઝરાયલની વાપસી પર જ કોઈ સમજૂતી માન્ય થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ લડતા રહે છે. આ દરમિયાન લેબનોનની સેનાએ ઐતિહાસિક રીતે ટકરાવથી દૂર રહી છે અને વર્તમાન સંઘર્ષમાં સામેલ થઈ નથી. તે પોતાના કમાન્ડરના મોતથી આઘાતમાં છે. હિઝબુલ્લાહે બે માર્ચથી ઈરાનના સમર્થનમાં ઇઝરાયેલ વિરુદ્ધ હવાઈ હુમલા શરૂ કર્યા હતા. લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડાઓ અનુસાર, બે માર્ચથી અત્યાર સુધી સમગ્ર લેબનાનમાં ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 3,593 લોકો માર્યા ગયા છે અને 10,990 અન્ય ઘાયલ થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande