નેપાળમાં વધતા તણાવ અને સામાજિક સદ્ભાવના જોખમ પર, તમામ પક્ષો એકજૂટ થાય : રવિ લામિછાને
કાઠમંડુ, નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) નેપાળના સત્તાધારી પક્ષ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (રાસ્વપા) ના અધ્યક્ષ રવિ લામિછાને જણાવ્યું છે કે, દેશમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ અને સામાજિક સદ્ભાવ બગડવાના જોખમને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ જવાબદાર બનીને
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) નેપાળના સત્તાધારી પક્ષ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (રાસ્વપા) ના અધ્યક્ષ રવિ લામિછાને જણાવ્યું છે કે, દેશમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ અને સામાજિક સદ્ભાવ બગડવાના જોખમને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ જવાબદાર બનીને એકસાથે ઊભા રહેવું જોઈએ.

સર્વપક્ષીય બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા અધ્યક્ષ લામિછાને કહ્યું કે, દેશમાં સાંપ્રદાયિક દ્વેષને રોકવા માટે તમામ પક્ષો વચ્ચે એક સર્વસંમતિ બની છે. તેમણે કહ્યું કે, કોઈપણ સાંપ્રદાયિક પ્રવૃત્તિથી કોઈને પણ ફાયદો થશે નહીં. આવી ઘટનાઓ બને ત્યારે આપણે તમામ રાજકીય પક્ષોએ એક જ મંચ પર ઊભા રહેવું જોઈએ, એવું અમે અનુભવ્યું છે.

એક યુવકના મૃત્યુની ઘટના અંગે પૂછવામાં આવેલા સવાલ પર લામિછાને તેને 'અત્યંત ગંભીર વિષય' ગણાવતા કહ્યું કે, સુરક્ષા સંસ્થાઓએ આ માટે જવાબદાર બનવું પડશે. તેમણે કહ્યું કે, ઘટના ખરેખર શું બની છે, તેનું સત્ય અને તથ્યો સામે આવવામાં સમય લાગે છે. અત્યારથી જ જાતજાતની અફવાઓ અને ષડયંત્રો પાછળ ભાગવાને બદલે, અમે જવાબદાર પ્રશાસન દ્વારા કરવામાં આવનારી નિષ્પક્ષ તપાસની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે, દોષિત લોકોને કાયદાના કઠેડામાં લાવવા જોઈએ અને સરકારે આમાં કોઈ વિલંબ કરવો જોઈએ નહીં.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande