જંતર-મંતર પર પ્રદર્શન પર રોક નથી, સોશિયલ મીડિયાની અફવા ભ્રામક : દિલ્હી પોલીસ
નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). દિલ્હી પોલીસે જંતર-મંતરને પ્રદર્શન માટે બંધ કરવા સંબંધિત સોશિયલ મીડિયા પર પ્રસારિત દાવાઓને સંપૂર્ણપણે ભ્રામક અને તથ્યહીન ગણાવતા સ્પષ્ટતા કરી છે કે જંતર-મંતર શાંતિપૂર્ણ અને વિધિવત મંજૂરી પ્રાપ્ત પ્રદર્શનો માટે અધિકૃત સ્
જંતર-મંતર પર પ્રદર્શન પર રોક નથી, સોશિયલ મીડિયાની અફવા ભ્રામક : દિલ્હી પોલીસ


નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). દિલ્હી પોલીસે જંતર-મંતરને પ્રદર્શન માટે બંધ કરવા સંબંધિત સોશિયલ મીડિયા પર પ્રસારિત દાવાઓને સંપૂર્ણપણે ભ્રામક અને તથ્યહીન ગણાવતા સ્પષ્ટતા કરી છે કે જંતર-મંતર શાંતિપૂર્ણ અને વિધિવત મંજૂરી પ્રાપ્ત પ્રદર્શનો માટે અધિકૃત સ્થળ છે.

દિલ્હી પોલીસે ગુરુવારે જારી કરેલી સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે જંતર-મંતરને પ્રદર્શનકારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે અથવા ત્યાં તાળું મારી દેવામાં આવ્યું છે. પોલીસે આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને તથ્યોથી પરે ગણાવ્યા.

પોલીસના જણાવ્યા અનુસાર, ઉચ્ચતમ ન્યાયાલયના આદેશ અને તેના પાલનમાં જારી કરાયેલી દિલ્હી પોલીસની માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી) હેઠળ જંતર-મંતર પર એક સમયે વધુમાં વધુ 1000 લોકોને પ્રદર્શનની મંજૂરી આપી શકાય છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, પ્રદર્શનની મંજૂરી સંબંધિત આયોજકો કે વ્યક્તિઓ દ્વારા ઔપચારિક અરજી કર્યા પછી સક્ષમ પ્રાધિકારીની મંજૂરીથી આપવામાં આવે છે. આ માટે નિર્ધારિત નિયમો અને શરતોનું પાલન કરવું ફરજિયાત છે.

પોલીસે લોકોને અપીલ કરી કે, તેઓ અપ્રમાણિત કે ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને ન તો તેને શેર કરે. કોઈપણ માહિતી માટે ફક્ત સત્તાવાર માધ્યમો પર જ ભરોસો કરો.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande