કોઈમ્બતુર બ્લાસ્ટ કેસના સંદર્ભમાં ઈડી એ દેશભરમાં 16 સ્થળોએ દરોડા પાડ્યા
નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, ગુરુવારે 2022 માં કોઈમ્બતુર બોમ્બ વિસ્ફોટમાં આતંકવાદી ભંડોળની તપાસના સંદર્ભમાં ચેન્નાઈ, કોઈમ્બતુર, હૈદરાબાદ અને મુંબઈમાં 16 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)


નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, ગુરુવારે 2022 માં કોઈમ્બતુર બોમ્બ વિસ્ફોટમાં આતંકવાદી ભંડોળની તપાસના સંદર્ભમાં ચેન્નાઈ, કોઈમ્બતુર, હૈદરાબાદ અને મુંબઈમાં 16 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, વિસ્ફોટોના આરોપીઓએ નકલી કોવીડ-19 રસી પ્રમાણપત્ર કૌભાંડ દ્વારા અને કોવાઈ અરબી કોલેજના નામે દાન અને કપટપૂર્ણ રોકાણો દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડ્યું હતું.

ઈડી એ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ આ કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા દાખલ કરાયેલ વિવિધ એફઆઈઆર ના આધારે શરૂ કરાયેલી તપાસના ભાગ રૂપે હાથ ધરવામાં આવી રહી છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, 2022 માં કોઈમ્બતુરમાં સંગમેશ્વર મંદિર નજીક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ જમિષા મુબીન અને તેના સહયોગીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલો વિસ્ફોટકોથી ભરેલી મોડિફાઇડ મારુતિ કારનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો, જે પ્રતિબંધિત ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) થી પ્રેરિત આતંકવાદી હુમલાના ભાગ રૂપે કરવામાં આવ્યો હતો.

ઈડી તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે બે મુખ્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ, તેઓ કોવીડ-19 રોગચાળા દરમિયાન નકલી રસી પ્રમાણપત્રો બનાવવાનું રેકેટ ચલાવતા હતા, રસી લીધા વિના પ્રમાણપત્રો માંગતા લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા.

બીજું, કોવાઈ અરેબિક કોલેજના નામે દાન અને છેતરપિંડીભર્યા રોકાણો એકત્રિત કરવામાં આવ્યા હતા. તપાસ મુજબ, આ સંસ્થા યુવાનોના કટ્ટરપંથીકરણમાં સક્રિય રીતે સામેલ હતી.

ઈડી એ જણાવ્યું હતું કે, બોમ્બ વિસ્ફોટ કેસમાં 12 આરોપીઓ, જેમાં આત્મઘાતી બોમ્બર જમીશ મુબીનનો પણ સમાવેશ થાય છે, કોવાઈ અરેબિક કોલેજમાં ઓનલાઈન અથવા ઓફલાઈન અભ્યાસ કરતા હતા. તપાસ મુજબ, કોલેજના ડિરેક્ટર, જમીલ બાશાએ આ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું, જેઓ સલાફી-જેહાદી વિચારધારાથી પ્રભાવિત હતા અને ISIS ના સમર્થનમાં આતંકવાદી હુમલાઓ કરવાનું કાવતરું ઘડતા હતા.

ઈડી એ કહ્યું કે, આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande