ભારતીય સ્પિનર સાઈ કિશોર ફરી રમશે કાઉન્ટી ક્રિકેટ, ગ્લૉસ્ટરશાયર સાથે કર્યો કરાર
નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) ભારતના ડાબોડી સ્પિનર આર. સાઈ કિશોર એકવાર ફરી ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમતા જોવા મળશે. 29 વર્ષીય સાઈ કિશોરે ગ્લૉસ્ટરશાયર સાથે 2026 કાઉન્ટી ચેમ્પિયનશિપ સીઝનના અંતિમ છ મુકાબલાઓ માટે કરાર કર્યો છે. તેઓ 20 ઓગસ્ટથી વોર્સે
ક્રિકેટ


નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) ભારતના ડાબોડી સ્પિનર આર. સાઈ કિશોર એકવાર ફરી ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમતા જોવા મળશે. 29 વર્ષીય સાઈ કિશોરે ગ્લૉસ્ટરશાયર સાથે 2026 કાઉન્ટી ચેમ્પિયનશિપ સીઝનના અંતિમ છ મુકાબલાઓ માટે કરાર કર્યો છે. તેઓ 20 ઓગસ્ટથી વોર્સેસ્ટરશાયર સામે ચેલ્ટનહેમમાં થનારા મેચથી ટીમ સાથે જોડાશે.

ત્યારબાદ તેઓ ડર્બીશાયર અને મિડલસેક્સ સામે બ્રિસ્ટલમાં તેમજ ડરહમ, લંકાશાયર અને કેન્ટ સામેના બહારના મુકાબલાઓમાં પણ ગ્લૉસ્ટરશાયરનું પ્રતિનિધિત્વ કરશે. સાઈ કિશોરે તમિલનાડુ માટે 54 પ્રથમ શ્રેણી મેચોમાં 223 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમણે 14 વખત પાંચ વિકેટ અને 11 વખત, ચાર વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. અગાઉ તેઓ 2025માં સરે તરફથી કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી ચૂક્યા છે, જ્યાં તેમણે ડરહમ સામેની જીત દરમિયાન સ્પર્ધામાં પોતાનો પહેલો પાંચ વિકેટ હૉલ મેળવ્યો હતો.

સાઈ કિશોરે ક્લબ તરફથી જારી નિવેદનમાં કહ્યું, “હું જૉન અને ગ્લૉસ્ટરશાયરના તમામ લોકોનો દિલથી આભારી છું જેમણે મને આ તક આપી. ગ્લૉસ્ટરશાયર સમૃદ્ધ ઇતિહાસ ધરાવતો ક્લબ છે અને અહીંનું શાનદાર વાતાવરણ મને અત્યંત ઉત્સાહિત કરે છે.” તેમણે આગળ કહ્યું, “હું હંમેશા ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં મારા રમતમાં પરખ કરવા માગતો હતો. મેનેજમેન્ટ સાથેની વાતચીત બાદ મને લાગ્યું કે આ જ મારા માટે યોગ્ય સ્થળ છે. હું ગ્લૉસ્ટરશાયરની જર્સી પહેરવા, બ્રિસ્ટલ અને ચેલ્ટનહેમમાં પ્રશંસકોને મળવા અને ટીમ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવા આતુર છું.”

ગ્લૉસ્ટરશાયરના મુખ્ય કોચ જૉન લૂઈસે કહ્યું, “અમે સાઈ કિશોરનું ટીમમાં સ્વાગત કરતાં ખૂબ ઉત્સાહિત છીએ. તેઓ અનુભવી અને સાબિત ખેલાડી છે, જે અમારી ટીમને ઘણો મજબૂતી આપશે. ક્લબ અંતિમ છ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચોમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ તબક્કામાં એક વિદેશી સ્પિનર ટીમ પર કેટલો પ્રભાવ પાડે છે તે જોવું રસપ્રદ રહેશે.” તેમણે આગળ કહ્યું, “સીઝનના આ સમયમાં ઇંગ્લેન્ડની પીચો સામાન્ય રીતે સ્પિન બોલિંગ માટે અનુકૂળ હોય છે. અમને આશા છે કે સાઈ કિશોર ટીમ માટે મહત્વનો ફાળો આપશે અને સકારાત્મક અસર છોડી જશે.”

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande