બિશ્કેકમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી, ભારત સાથે જોડાણ ધરાવતા લોકોને પણ મળ્યા વડાપ્રધાન મોદી
બિશ્કેક, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોમવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પી તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે, ગાંધીજીના વિચારોનો આપણા મન અને મસ્તિષ્ક પર હંમેશાં અનન્ય પ્
વડાપ્રધાને સોશિયલ મીડિયા મંચ ‘એક્સ’ પર મુલાકાતની તસવીરો શેર કરી


બિશ્કેક, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોમવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પી તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે, ગાંધીજીના વિચારોનો આપણા મન અને મસ્તિષ્ક પર હંમેશાં અનન્ય પ્રભાવ રહેશે.

વડાપ્રધાને સોશિયલ મીડિયા મંચ ‘એક્સ’ પર મુલાકાતની તસવીરો શેર કરતાં જણાવ્યું કે, તેમણે એવા લોકોના એક સમૂહ સાથે મુલાકાત કરી, જેમનું ભારત સાથે ગાઢ જોડાણ છે. તેમાં મુખ્ય ભારતીય પ્રવાસી, પર્યાવરણ પ્રત્યે જાગૃત લોકો, યોગ સાધકો, શિક્ષણવિદો, ભારતીય તકનીકી અને આર્થિક સહકાર (આઈટીઈસી)ના પૂર્વ વિદ્યાર્થીઓ તથા સંશોધકોનો સમાવેશ થતો હતો.

મોદીએ ભારત સાથેના આ સતત જોડાણ પર પ્રસન્નતા વ્યક્ત કરી. તેમણે ખાસ કરીને એક યોગ સાધકનો ઉલ્લેખ કર્યો, જે વર્ષ 2026માં અમદાવાદમાં આયોજિત પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં સામેલ થયો હતો અને ત્યાં પદક જીત્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ભારત તરફથી યોગને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવાના પ્રયાસો વચ્ચે આવું જોડાણ ઉત્સાહજનક છે.

મોદી હાલમાં કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર જાપારોવના આમંત્રણ પર 26મા શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાનની મુલાકાતે છે.

વડાપ્રધાન મોદીએ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ વર્ષ 2015માં કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande