
પોરબંદર, 09 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આવતી કાલે 10 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે 08:30 કલાકે પોરબંદરના તાજાવાલા હોલ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માં રાજ્યકક્ષાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહનવ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં નાગરિકો સહભાગી બનવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya