ગુરુવારે હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બનશે
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ગુરુવારે તેલંગાણાની મુલાકાત લેશે. તેઓ હૈદરાબાદમાં હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર, ઉજવણી હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન


નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ગુરુવારે તેલંગાણાની મુલાકાત લેશે. તેઓ હૈદરાબાદમાં હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

ઉપરાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર, ઉજવણી હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઉપરાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. તેલંગાણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બર, 1948 ના રોજ હૈદરાબાદ રાજ્યના ભારતીય સંઘમાં વિલીનીકરણની યાદમાં હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. 1948 માં, ભારતીય સેનાએ ઓપરેશન પોલો હાથ ધર્યું, જેના કારણે હૈદરાબાદ રાજ્ય ભારતીય સંઘમાં એકીકૃત થયું.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande