ઉપરાષ્ટ્રપતિ 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પૂર્વોત્તરના ચાર રાજ્યોની મુલાકાત લેશે
નવી દિલ્હી, 05 સપ્ટેમ્બર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન, 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન આસામ, મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશની ચાર દિવસની મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઐતિહાસિક, સામાજિક અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓની મુલાકાત લે
उपराष्ट्रपति सी. पी. राधाकृष्णन (फाइल फोटो)


નવી દિલ્હી, 05 સપ્ટેમ્બર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન, 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન આસામ, મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશની ચાર દિવસની મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઐતિહાસિક, સામાજિક અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓની મુલાકાત લેશે અને વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન, 6 સપ્ટેમ્બરના રોજ આસામના ગૌહાટી પહોંચશે, એમ ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે શનિવારે જણાવ્યું હતું. તેઓ ગીતાનગર કોલેજની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લેશે. આ સંસ્થા અગાઉ કન્યા મહાવિદ્યાલય તરીકે જાણીતી હતી. ત્યારબાદ તેઓ શ્રીમંત શંકરદેવ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસ (એસએસયુએચએસ), ગુવાહાટીના પદવીદાન સમારંભમાં હાજરી આપશે.

ઉપરાષ્ટ્રપતિ 7 સપ્ટેમ્બરના રોજ ગૌહાટી યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અગ્રણી નાગરિકો સાથે વાતચીત થશે. બાદમાં તેઓ મેઘાલયની રાજધાની શિલોંગ પહોંચશે, જ્યાં તેઓ સોસો થામ ઓડિટોરિયમમાં તેમના સન્માનમાં આયોજિત જાહેર સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે.

ઉપરાષ્ટ્રપતિ 8 સપ્ટેમ્બરના રોજ મણિપુરના ઇમ્ફાલની મુલાકાત લેશે. તેઓ મોઇરાંગ ખાતે આઈ.એન.એ. સંગ્રહાલય અને યુદ્ધ સ્મારક અને ઇમ્ફાલની સૈનિક શાળાની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ અરુણાચલ પ્રદેશના ઇટાનગર માટે રવાના થશે.

મુલાકાતના છેલ્લા દિવસે 9 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ અરુણાચલ પ્રદેશ વિધાનસભાના વિશેષ સત્રમાં ભાગ લેશે અને વિધાનસભા ગેલેરી-કમ-સંગ્રહાલયની મુલાકાત લેશે. તેઓ ઇટાનગરમાં ન્યાયદાર નામલો, જવાહરલાલ નહેરુ રાજ્ય સંગ્રહાલય અને ડોની પોલો મિશન સ્કૂલ ફોર હિયરિંગ એન્ડ વિઝ્યુઅલી ઇમ્પેઅર્ડ સ્ટુડન્ટ્સની પણ મુલાકાત લેશે.

હિન્દુસ્થાન સમાચાર /સુશીલ કુમાર/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande