
નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે હંમેશની જેમ એક્સ પર સુભાષિતમ્ના રૂપમાં શ્લોક શેર કર્યો.
''शं नो वातः पवतां शं नस्तपतु सूर्यः।
शं नः कनिक्रदद् देवः पर्जन्योऽभिवर्षतु॥''
તેમણે વાયુ, સૂર્ય અને વરુણ દેવ પાસેથી કલ્યાણની પ્રાર્થના કરી.
આ શ્લોક શુક્લ યજુર્વેદ સંહિતાના 36મા અધ્યાયનો 10મો મંત્ર છે. આ શ્લોકમાં પ્રકૃતિના વિવિધ તત્વો પાસેથી માનવજાતિ અને બ્રહ્માંડના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ એક્સ પર પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો લગાવ દર્શાવતા તેને શેર કર્યો.
તેનો ભાવાર્થ છે, આપણા માટે વાયુ કલ્યાણકારી, સુખદ અને શુદ્ધ થઈને વહે. સૂર્ય દેવ આપણા માટે મંગલમય થઈને તપે, અર્થાત્ તેમનો તાપ અને પ્રકાશ આપણને જીવન અને ઊર્જા આપે, વિનાશ ન કરે. દિવ્ય ગર્જના કરનારા મેઘ (પર્જન્ય દેવ) આપણા પર જીવનદાયી અને કલ્યાણકારી જળનો વરસાદ કરે.
આ મંત્રનું મહત્વ એ દર્શાવે છે કે, આપણા ઋષિઓનો દ્રષ્ટિકોણ કેટલો વૈજ્ઞાનિક અને પ્રકૃતિ-કેન્દ્રિત હતો. માનવ જીવન સંપૂર્ણપણે સ્વચ્છ હવા, સંતુલિત તડકો અને સમયસર થતા વરસાદ પર નિર્ભર છે. જો પ્રકૃતિનું આ સંતુલન બગડી જાય (જેમ કે વાયુ પ્રદૂષણ, અતિશય ગરમી કે દુષ્કાળ/પૂર) તો આખી માનવ સભ્યતા સંકટમાં આવી શકે છે. આ મંત્ર આપણને પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવવાનો સંદેશ આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ