-ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જશુભાઈ ભીલુભાઈ રાઠવા તથા ઉમેશભાઈ રાયસિંહ રાઠવા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુખરામભાઈ હરિયાભાઈ રાઠવા એ ઉમેદવારી નોંધાવી
છોટાઉદેપુર, 17 એપ્રિલ(હિ. સ.).લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગ માટે તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગ માટે તા. ૧૨/૦૪/૨૦૨૪ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે.
જે અંતર્ગત આજે તા. ૧૬/૦૪/૨૦૨૪ ને મંગળવારના રોજ ૭ ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જશુભાઈ ભીલુભાઈ રાઠવાએ ૩ ઉમેદવારી પત્રો તથા ઉમેશભાઈ રાયસિંહ રાઠવાએ ૨ ઉમેદવારી પત્રો અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુખરામભાઈ હરિયાભાઈ રાઠવાએ ૨ ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવારી નોંધાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/દિવ્યેશ/બિનોદ