જિલ્લામાં આચારસંહિતાના ભંગને લગતી 157 ફરિયાદોનો સકારાત્મક ઉકેલ
- સી-વિજિલમાં 129, એમ.સી.સી. ટોલ ફ્રીમાં 20, અને 1950 ટોલ ફ્રી માં 8 ફરિયાદોની નોંધણી રાજકોટ/અમદાવા
જિલ્લામાં આચારસંહિતાના ભંગને લગતી 157 ફરિયાદોનો સકારાત્મક ઉકેલ


- સી-વિજિલમાં 129, એમ.સી.સી. ટોલ ફ્રીમાં 20, અને 1950 ટોલ ફ્રી માં 8 ફરિયાદોની નોંધણી

રાજકોટ/અમદાવાદ,20 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વ હેઠળ આચારસંહિતાના પાલન માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી 157 ફરિયાદોને ઉકેલવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં સી-વિજિલમાં 129 ફરિયાદો, એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબરમાં 20 ફરિયાદો, જિલ્લા સંપર્ક કેન્દ્ર - 1950 હેલ્પલાઈન નંબરમાં 8 ફરિયાદો નોંધાયા બાદ તમામ ફરિયાદોનું તુરંત નિરાકરણ કરાયું હતુ.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande