મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) એણાસણ, અમદાવાદ ખાતે આવેલ SNME કેમ્પસની એ-વન ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ ના સભ્ય દ્વારા હનુમાન જયંતીના નિમિત્તે 108 હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોએ પ્રજવલિત મીણબત્તી હાથમાં રાખીને ભાવપૂર્વક હનુમાન ચાલીસા નું પઠન કર્યું હતું.જેમાં જય શ્રી રામ ના નારાઓ સાથે કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. સુંદર કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધવલ સિંહ ઝાલા દ્વારા પ્રિન્સિપાલ તથા સ્ટાફના સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ