'શ્રીકાંત'ના ગીત 'પાપા કહેતે હૈં'ના, લોન્ચિંગ સમયે આમિર ખાન ભાવુક થઈ ગયો
નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ. સ.) રાજકુમાર રાવની ફિલ્મ 'શ્રીકાંત' વિશે બધાને ઉત્સુકતા છે. 'શ્રીકાંત'માં
ફિલ્મ


નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ. સ.) રાજકુમાર રાવની ફિલ્મ 'શ્રીકાંત' વિશે બધાને ઉત્સુકતા છે. 'શ્રીકાંત'માં રાજકુમાર અંધ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની, ભૂમિકા ભજવશે. થોડા દિવસ પહેલા રિલીઝ થયેલ 'શ્રીકાંત'ના ટીઝરે, બધાના દિલ જીતી લીધા હતા. આવી સ્થિતિમાં ગઈ કાલે ફિલ્મ 'શ્રીકાંત'નું લોકપ્રિય ગીત 'પાપા કહેતે હૈં' દર્શકોની સામે આવ્યું.

આમિરની પહેલી ફિલ્મ 'કયામત સે કયામત તક'નું આ ગીત બધાને પસંદ છે. તાજેતરમાં, ફિલ્મ 'શ્રીકાંત'ના કાર્યક્રમમાં, અંધ લોકોના જૂથે ફરીથી આ જ ગીત ગાયું. જેના પર આમિરની પ્રતિક્રિયા જોવા જેવી હતી.

આ ગીત આમિર ખાન, રાજકુમાર રાવ, આલિયા એફ, શરદ કેલકર, ઉદિત નારાયણ, દિગ્દર્શક તુષાર હિરાનંદાની અને નિર્માતા નિધિ પરમાર હિરાનંદાનીની હાજરીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીતનું નામ છે 'પાપા કહેતે હૈં 2.0' અને આ ગીત મુંબઈમાં, ભવ્ય અને અનોખી શૈલીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના પર આમિર ખાન, રાજકુમાર રાવ અને ઉદિત નારાયણ પણ ગીત ગાતા જોવા મળ્યા હતા. ચાહકો દ્વારા બેન્ડના લાઈવ પરફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

પાપા કહેતે હૈં 2.0 ઉદિત નારાયણ દ્વારા ગાયું છે અને તેનું સંગીત, આદિત્ય દેવ અને રે દ્વારા રચવામાં આવ્યું છે. જ્યારે મૂળ સંગીત આનંદ મિલિંદે, આપ્યું છે. ગીતના બોલ મજરૂહ સુલ્તાનપુરીએ લખ્યા છે.

બ્લાઈન્ડ બેન્ડના સભ્યોએ આમિર ખાનના પ્રખ્યાત ગીત 'અય મેરે હમસફર'ની સાથે 'પાપા કહેતે હૈં'ની અદભૂત રજૂઆત કરી હતી. પ્રદર્શનના અંતે, આમિર ખાન, રાજકુમાર રાવ અને ઉદિત નારાયણે, પર્ફોર્મન્સને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ ગીત ફિલ્મ 'શ્રીકાંત'માં પણ જોવા મળશે. રાજકુમાર રાવ અભિનીત 'શ્રીકાંત' 10 મે 2024ના રોજ રિલીઝ થઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સંજીવ / માધવી


 rajesh pande