બાલાજી ગ્રુપ પાટણ દ્વારા ઠંડા પાણીની પરબ કાર્યરત કરાઇ
પાટણ,23 એપ્રિલ (હિ.સ.) દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હનુમાન જયંતિ અને મા બહુચરનાં પ્રાગટોત્સવના પવિત્
બાલાજી ગ્રુપ પાટણ દ્વારા ઠંડા પાણીની પરબ કાર્યરત કરાઇ


બાલાજી ગ્રુપ પાટણ દ્વારા ઠંડા પાણીની પરબ કાર્યરત કરાઇ


પાટણ,23 એપ્રિલ (હિ.સ.) દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હનુમાન જયંતિ અને મા બહુચરનાં પ્રાગટોત્સવના પવિત્ર દિવસ ચૈત્રી પૂર્ણિમાનાં રોજ બાલાજી ગ્રુપ પાટણ દ્વારા ઘીમટા બજારનાં નાકે ઠંડા મિનરલ પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી હતી. પાટણ બજારમાં ખરીદી અર્થે આવતી જિલ્લાભરની પ્રજાને કાળઝાળ ગરમીમાં પીવાના ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ બને તેવા શુભ ઉદેશથી બાલાજી ગ્રુપ દ્વારા દર ઉનાળામાં આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોએ છે. લોકો પોતાની તરસ છીપાવીને જે હાશકારો અનુભવે છે, એજ પરમાત્માના આશીર્વાદ સમાન છે.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/હર્ષ શાહ


 rajesh pande