ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની, ઘૂસણખોરની ધરપકડ
શ્રીગંગાનગર, નવી દિલ્હી, 23 એપ્રિલ (હિં.સ.) ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર શ્રીગંગાનગરમાં, બોર
ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની, ઘૂસણખોરની ધરપકડ


શ્રીગંગાનગર, નવી દિલ્હી, 23 એપ્રિલ (હિં.સ.) ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર શ્રીગંગાનગરમાં, બોર્ડર સિક્યોરિટી ફોર્સે એક પાકિસ્તાની ઘૂસણખોરને પકડ્યો છે. હવે તેને જોઈન્ટ ઈન્કવાયરી સેન્ટર લઈ જવામાં આવશે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. ભારતીય સરહદમાં ઘૂસણખોરીના પ્રવેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

બીએસએફના જણાવ્યા અનુસાર, “જ્યારે સૈનિકોએ શ્રીકરણપુર વિસ્તારના ગામ 14 એસ. માજીવાલા અને નગ્ગીની વચ્ચે, ફેન્સિંગ ઓળંગીને ભારતીય સીમામાં ઘૂસેલા ઘૂસણખોરને પડકાર્યો ત્યારે તે રોકાયો. બીએસએફ જવાનોએ તેની ધરપકડ કરી હતી. ઘૂસણખોર બહાદુર અલી (25) પુત્ર મોહમ્મદ હનીફ પાકિસ્તાનના પાક પટ્ટન જિલ્લાના, મોહજા બહારાનો રહેવાસી છે.”

પોલીસ અધિક્ષક ગૌરવ યાદવે જણાવ્યું કે,” શ્રીકરણપુર બોર્ડર પર ઘુસણખોરને પકડવામાં આવ્યો છે. તેને જોઈન્ટ ઈન્કવાયરી સેન્ટરમાં લઈ જઈ પૂછપરછ કરવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / રાજીવ / સંદીપ / સુનીત / માધવી


 rajesh pande