કોંગ્રેસે ગુરદાસપુરથી, સુખજિંદર સિંહ રંધાવાને મેદાનમાં ઉતાર્યા
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) કોંગ્રેસે સોમવારે પંજાબમાં લોકસભા ચૂંટણી માટે, 4 ઉમેદવારોની યાદી જાહેર
પંજાબ


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) કોંગ્રેસે સોમવારે પંજાબમાં લોકસભા ચૂંટણી માટે, 4 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગવાલે, આ અંગે મીડિયાને માહિતી આપી હતી. પાર્ટીએ પંજાબના ગુરદાસપુરથી સુખજિંદર સિંહ રંધાવાને મેદાનમાં ઉતાર્યા છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમરિન્દર સિંહ, બરાડ લુધિયાણાથી, કુલબીર સિંહ ઝીરા ખડુર સાહિબથી અને વિજય ઈન્દર સિંગલા આનંદપુર સાહિબથી, ચૂંટણી લડશે. પંજાબમાં છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે.

પંજાબમાં કુલ 13 લોકસભા સીટ છે. સમગ્ર રાજ્યમાં 24,433 મતદાન મથકો સાથે, પંજાબમાં અંદાજે 2,12,71,246 લાયક મતદારો છે. જેમાં 1,11,92,959 પુરૂષો, 1,00,77,543 સ્ત્રીઓ અને 744 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / બિરંચી સિંહ / અનુપ / ડો હિતેશ


 rajesh pande