અભિનેતા ગુરુચરણ સિંહના ગુમ થવા પર, પરિવારે મૌન તોડ્યું
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ. સ.) ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી ફેમ, એક્ટર ગુરચરણ સિંહ
તારક


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ. સ.) ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી ફેમ, એક્ટર ગુરચરણ સિંહ ગુમ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે દરમિયાન ગુરુચરણના પરિવારે, તેમના લગ્ન અને આર્થિક સમસ્યાઓ અંગે મૌન તોડ્યું છે.

વાસ્તવમાં, 'તારક મહેતા...' ફેમ એક્ટર ગુરુચરણ સિંહ 22 એપ્રિલે તેમના ઘરથી થોડા કિલોમીટર દૂર દિલ્હીના પાલમમાં, એટીએમમાંથી સાત હજાર રૂપિયા ઉપાડ્યા બાદ ગુમ થઈ ગયા હતા. તેનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો હતો. જેમાં ગુરુચરણ 22 એપ્રિલે રાત્રે 9.14 વાગ્યે, પાલમ વિસ્તારમાં રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 50 વર્ષીય ગુરુચરણ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા અને આર્થિક સંકટમાં હતા. ગુરુચરણ સિંહના પરિવારજનોએ મીડિયાને જણાવ્યું કે,” તેઓ ગુરુચરણના લગ્ન વિશે કંઈ જાણતા નથી. મીડિયામાં આ બધા સમાચાર ક્યાંથી આવે છે? “ ગુરુચરણના સંબંધીના જણાવ્યા અનુસાર, “અભિનેતાના પિતા, બોલવાની શરતો પર નથી અને હજુ સુધી આ બાબતે કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી.” ગુરુચરણ સિંહ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. તેમના ગુમ થયા બાદ તેમના પિતાએ કહ્યું હતું કે,” ગુરુચરણનું માનસિક સ્વાસ્થ્ય સારું છે અને તેઓ પરેશાન નથી.” દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની એક ટીમ રવિવારે ગુરુચરણના ઘરે ગઈ હતી અને તેના ગુમ થયા પહેલા શું થયું તે જાણવા માટે તેના પરિવારના સભ્યો પાસેથી માહિતી એકઠી કરી હતી.

મળતી માહિતી મુજબ, ગુરુચરણ સિંહ 22 એપ્રિલે રાત્રે 8.30 વાગ્યે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ લેવાના હતા, પરંતુ તેઓ એરપોર્ટ પહોંચ્યા ન હતા. તે ન તો મુંબઈ ગયા કે ન તો ઘરે પાછા ફર્યા. તેનો ફોન પણ બંધ હતો. આથી તેના પિતાએ 26 એપ્રિલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી


 rajesh pande