અમદાવાદ,29 એપ્રિલ(હિ.સ.) કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત સ્થાપના દિવસે જ અમદાવાદ આવી રહ્યાં છે. ખડગે પણ ગુજરાતમાં ચાર દિવસનું રોકાણ કરશે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એમ ચારેય ઝોનમાં એક એક સભા સંબોધે તેવું કોંગ્રેસે આયોજન કર્યું છે.
પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશના નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓની સભાના સ્થળ સહિતના આયોજન પર સીધી દેખરેખ રાખી રહ્યાં છે.કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ગઇકાલે વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ જનસભા સંબોધી હતી.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ