કેનેડામાં ફરીથી ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર, ભાજપે જસ્ટિન ટ્રુડોને આપી સલાહ
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) કેનેડામાં બૈસાખી નિમિત્તે આયોજિત ખાલસા દિવસ કાર્યક્રમમાં, ખાલિસ્તાન ત
ૂહ્દ


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) કેનેડામાં બૈસાખી નિમિત્તે આયોજિત ખાલસા દિવસ કાર્યક્રમમાં, ખાલિસ્તાન તરફી નારા લગાવવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને વિપક્ષી નેતાઓ માત્ર ભાગ લેતા નથી પરંતુ, ખાલસાના સમર્થનમાં ભાષણ પણ આપે છે. વીડિયો શેર કરીને ભાજપના પ્રવક્તા આરપી સિંહે, આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે તેણે જસ્ટિન ટ્રુડોને સલાહ આપી છે કે, જો તમે તમારા ઘરની પાછળના યાર્ડમાં સાપ રાખો છો, તો એક દિવસ તે તમને અન્ય લોકો સાથે કરડશે.

સોમવારે બીજેપી નેતા આરપી સિંહે એક ટ્વિટમાં કહ્યું કે,” કેનેડામાં આયોજિત કાર્યક્રમમાં, નિજ્જરના મૃત્યુમાં ભારતીય રાજકીય હસ્તીઓ, સામેલ હોવાનો આરોપ લગાવતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. રેલીઓમાં ખાલિસ્તાન પ્રચાર અને ભારત વિરોધી પોસ્ટરો બતાવવામાં આવ્યા હતા.” આરપી સિંહે કહ્યું કે,” કેનેડામાં શું થઈ રહ્યું છે, તે અંગે ત્રણ મુખ્ય ચિંતાઓ છે.”

તેમણે કહ્યું કે,” આ કાર્યક્રમમાં કેનેડાના વડાપ્રધાન અને વિપક્ષી નેતાઓ, ખાલિસ્તાન તરફી નારાઓ વચ્ચે કાર્યક્રમમાં હાજરી આપે છે. આ સાથે કાર્યક્રમમાં નિજ્જરના મૃત્યુ માટે ભારતીય રાજદ્વારીઓને જવાબદાર ઠેરવતા પોસ્ટર પણ લહેરાવવામાં આવ્યા છે.” વધુ શું છે, સમગ્ર કેનેડામાં ખાલિસ્તાન વિરોધી પ્રચાર અને ભારત વિરોધી પોસ્ટરો સાથે રેલીઓ યોજવામાં આવે છે. સ્પષ્ટ છે કે કેનેડાના વડાપ્રધાનને, ખાલિસ્તાની સમર્થકોનું સમર્થન છે. આરપી સિંહે કહ્યું કે,” જો કેનેડાના વડાપ્રધાન તેમના ઘરમાં પાછળ સાપ રાખે છે, તો તમે તેમની પાસેથી માત્ર અન્ય લોકોને ડંખવાની અપેક્ષા રાખી શકતા નથી, આખરે તે તેમને પણ કરડશે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / દધીબલ / માધવી


 rajesh pande