'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના નિર્માતાઓએ, કર્યો ખુલાસો - હિના ખાનને સીરિઝમાંથી હટાવી દેવામાં આવી
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ. સ.) ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવીની લોકપ્રિય શ્રેણી તરીકે, જાણીતી છે.
પગલો


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ. સ.) ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવીની લોકપ્રિય શ્રેણી તરીકે, જાણીતી છે. શોના ડાયરેક્ટર-પ્રોડ્યુસર રાજન શાહીએ પણ, હિના ખાનને સિરિયલમાંથી હટાવવા પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે.

રાજન શાહીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી કે, શા માટે મેકર્સે અરમાન અને રુહીના પાત્રો ભજવનાર શહેઝાદા ધામી અને પ્રક્રીષ્ઠા હોનમુખેને પડતો મૂક્યો હતો. રાજન શાહીએ કહ્યું કે,’ પ્રક્રીષ્ઠા હોનમુખે પ્રોડક્શન યુનિટની સામે ફ્લર્ટ કરતી હતી. એકવાર ડાયરેક્ટર તેને, સીન કેવી રીતે કરવો તે કહેતા હતા પરંતુ તે ત્યાંથી જતી રહી.’

તેણે હિના ખાનને સિરિયલમાંથી, હટાવવા પાછળનું સાચું કારણ પણ જણાવ્યું. હિના ખાનને સમયની સમસ્યા હતી. આ સાથે તે પટકથામાં પણ વારંવાર દખલ કરતી હતી. સીરિયલના સેટ પર, ઘણી ઘટનાઓ બની. જેના કારણે સેટ પર ગુસ્સો, નારાજગી અને કડવાશ ફેલાઈ ગઈ. રાજન શાહીએ કહ્યું કે,’ મેં અને ચેનલે મળીને તેની સાથે મીટિંગ કરી હતી અને તે પછી તેને સીરિયલમાંથી, બહાર કરી દેવામાં આવ્યો હતો.’

તેણે કહ્યું કે,’ એક દિવસ શૂટિંગ શરૂ થઈ રહ્યું હતું અને હિના કેટલીક લાઈન્સ કહેવા માંગતી ન હતી. તે સમયે હિનાએ સ્ક્રિપ્ટમાં દખલ કરી અને તે લાઈનો બોલવાની ના પાડી. મેં તે સમયે તેને કહ્યું હતું કે, તેણે આ સીન આ રીતે કરવો પડશે પરંતુ તે રાજી ન થઈ. આ વખતે મેં તેને કહ્યું કે, કાં તો તે શૂટ કરે અથવા સિરિયલ છોડી દે.’

આ પછી તે આખો દિવસ, મેકઅપ રૂમમાં બેસી રહી. તે પછી રાત્રે, જ્યારે તેણી સેટમાંથી બહાર નીકળી ત્યારે, તેણીને કહેવામાં આવ્યું હતું કે તે હવે સેટ પર ન આવે તો સારું રહેશે. તેમ છતાં તે બીજા દિવસે આવી અને તેણે લખ્યા પ્રમાણે સીન શૂટ કર્યો. પણ મને તેના વર્તન પર ખૂબ ગુસ્સો આવ્યો. જેથી પેક અપ સમયે તેને કહેવામાં આવ્યું હતું કે, હવે આ કાર્યક્રમ સાથે તારે કોઈ લેવાદેવા નથી. હિનાએ તે દિવસે શિવાંગી સાથે જે છ સીન શૂટ કર્યા હતા તે મેં ડિલીટ કરી દીધા હતા. તેના બહાર નીકળ્યા પછી ટીમને ફરીથી કામ શરૂ કરવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો પરંતુ હવે બધું બરાબર છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી


 rajesh pande