મુંબઈ સીએસએમટી સ્ટેશન પર, લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, હાર્બર રેલવે સેવા પ્રભાવિત
મુંબઈ, નવી દિલ્હી,29 એપ્રિલ (હિ.સ.) સોમવારે બપોરે મુંબઈ સીએસએમટી સ્ટેશન પાસે લોકલ ટ્રેનના, બે ડબ્બા
ડબ્બા


મુંબઈ, નવી દિલ્હી,29 એપ્રિલ (હિ.સ.) સોમવારે બપોરે મુંબઈ સીએસએમટી સ્ટેશન પાસે લોકલ ટ્રેનના, બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ તેનાથી મુંબઈ સીએસએમટી અને વડાલા સ્ટેશનો વચ્ચે, હાર્બર રેલવેની સેવાને અસર થઈ હતી.

મધ્ય રેલવેના પ્રવક્તા સ્વપ્રિલ નીલાએ જણાવ્યું કે,” સીએસએમટી સ્ટેશનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. હાર્બર રેલ્વે સેવા, ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.” નીલાએ મુસાફરોને સહકારની અપીલ કરી છે.

આજે બપોરે પનવેલથી સીએસએમટી જતી લોકલ ટ્રેનના બે ડબ્બા, સીએસએમટી સ્ટેશન પાસે, અચાનક પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ટ્રેનમાં બેઠેલા મુસાફરો જોરદાર અવાજથી ગભરાઈ ગયા હતા, પરંતુ મોટરમેને તરત જ બ્રેક લગાવી દીધી હતી. આનાથી ઘણી બચાવ થઈ ગયો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ માહિતી મળતા જ મધ્ય રેલવેની, રિપેરિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમારકામની કામગીરી શરૂ કરી હતી.

મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે,” હાલમાં હાર્બર રેલવે સેવા આંશિક રીતે મસ્જિદ સ્ટેશનથી શરૂ કરવામાં આવી છે. હાર્બર રેલ્વે સેવાઓ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર / દધીબલ / માધવી


 rajesh pande