અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવારના સમર્થનમાં ઋષિવંશી- વાણંદ સમાજનું સંમેલન યોજાયું
ગાંધીનગર,03 મે (હિ.સ.) સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત ઋષિવંશી, વાળંદ, નાયી સમાજ દ્વારા કર્ણાવતી ખાત
ઠકકર બાપા ખાતે કાર્યક્રમ યોજાયો


ઠકકર બાપા ખાતે કાર્યક્રમ યોજાયો


ઠકકર બાપા ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર,03 મે (હિ.સ.) સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત ઋષિવંશી, વાળંદ, નાયી સમાજ દ્વારા કર્ણાવતી ખાતે ઠક્કરબાપા નગર ખાતે અમદાવાદ પૂર્વ ના ઉમેદવાર હસમુખ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે મધ્યસ્થ કાર્યાલય ઠક્કરબાપા નગર અમદાવાદ ખાતે સામાજીક સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય કંચનબેન રાદડીયા, અમદાવાદ પૂર્વ લોકસભાના પ્રભારી નૈનેશ શાહ, ઠક્કરબાપા નગર વિધાનસભાના ઇન્ચાર્જ બાબુ ઝડફિયા, બક્ષીપંચ મોરચા સામાજિક સંકલન સેલના પ્રદેશ કન્વીનર અને ઠક્કરબાપા નગર વિધાનસભાના પ્રભારી હેમરાજ પાડલીયા, કર્ણાવતી મહાનગરના ઉપાધ્યક્ષ ભરત ગોંડલીયા, કર્ણાવતી મહાનગર બક્ષીપંચ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર ખરચરીયા તથા ભરત બ્રહ્મભટ્ટ, કાઉન્સિલર ભરત કાકડીયા, સમાજના આગેવાનો ભગવાનદાસ વિઠ્ઠલાપરા, નયન વૈષ્ણવ, રાજુ ઈમ્પ્રેસન, પ્રવીણ શર્મા, હસમુખ રાઠોડ, બળદેવ ભગત, વિનોદ વડોદરીયા, અમિત શર્મા, ઉત્તમ પારેખ, મહેશ રાઠોડ (અમદાવાદ), અશ્વિન શર્મા, માંગીલાલ સેન ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ ને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ માં સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની પુર્ણાહુતી બાદ સહુએ સાથે ભોજન લીધું હતું.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ /હર્ષ શાહ


 rajesh pande