પુરી થી કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો
પુરી, નવી દિલ્હી, 4 મે (હિ.સ) કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ, ઓડિશાની પ્રતિષ્ઠિત પુરી લોકસભા બેઠ
પુરી થી કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો


પુરી, નવી દિલ્હી, 4 મે (હિ.સ) કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ, ઓડિશાની પ્રતિષ્ઠિત પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં, તેમણે પાર્ટીની ટિકિટ પરત કરવાની વાત કરી છે. સુચરિતાએ મેદાન છોડી દીધું હોવાથી, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. સંબિત પાત્રા માટે રસ્તો સરળ માનવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, પુરી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 6 મે છે અને ત્યાં 25 મેના રોજ મતદાન થવાનું છે. હવે કોંગ્રેસ માટે તુરંત અન્ય ઉમેદવાર ઉભા કરવાનો પડકાર રહેશે.

સુચરિતા કહે છે કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૂરતા પૈસા અને સંસાધનો નથી. પાર્ટી હાઈકમાન્ડે તેમને ચૂંટણી લડવા માટે ફંડ આપવાની ના પાડી દીધી હતી અને તેમણે પોતે ફંડ એકઠું કરીને ચૂંટણી લડવાની હતી. તેણે જનતાની મદદથી પૈસા એકઠા કરીને ચૂંટણી લડવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ અત્યાર સુધી તે ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળના ઉમેદવારોની સરખામણીમાં કોઈ અસર કરી શકી નથી.

સુચરિતા મોહંતીનું કહેવું છે કે, લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારો ઘણા નબળા છે. એવું લાગતું નથી કે, કોંગ્રેસ પણ કોઈ સ્પર્ધામાં છે. એક તરફ, ભાજપ અને બીજેડી વિપુલ સંસાધનો અને નાણાંના બળ પર સર્વાંગી પ્રભુત્વ ધરાવતા હતા અને કોંગ્રેસ ક્યાંય દેખાતી ન હતી. આવી સ્થિતિમાં જનતા પાસેથી પૈસા ભેગા કરીને ચૂંટણી જીતવાના તેમના પ્રયાસો અપૂરતા સાબિત થઈ રહ્યા હતા. તેથી તેણે સમયસર પોતાનું નામ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.

હિન્દુસ્થાન સમાચાર/જિતેન્દ્ર/દધીબલ / ડો. હિતેશ


 rajesh pande