રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, હિમાચલ પ્રદેશની પાંચ દિવસની મુલાકાતે શિમલાની રમણીય ખીણમાં પહોંચ્યા
શિમલા, નવી દિલ્હી, 04 મે (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, હિમાચલ પ્રદેશની પાંચ દિવસીય મુલાકાતે શનિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, હિમાચલ પ્રદેશની પાંચ દિવસની મુલાકાતે શિમલાની રમણીય ખીણમાં પહોંચ્યા


શિમલા, નવી દિલ્હી, 04 મે (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, હિમાચલ પ્રદેશની પાંચ દિવસીય મુલાકાતે શનિવારે સવારે હિલ્સની રાણી શિમલા પહોંચી ગયા હતા. રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સવારે 10.11 વાગ્યે શિમલા નજીક કલ્યાણી હેલિપેડ પર ઉતર્યું હતું. રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા અને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ, રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં તેઓ છરાબડા સ્થિત રાષ્ટ્રપતિ નિવાસ ધ રિટ્રીટ પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિ, 5 મેના રોજ રાષ્ટ્રપતિ કેચમેન્ટ એરિયાની મુલાકાત લેશે. 6 મેના રોજ તેઓ કાંગડા જિલ્લાના પ્રવાસે જશે. રાષ્ટ્રપતિ, કાંગડા જિલ્લા મુખ્યાલય ધર્મશાળા ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. રાષ્ટ્રપતિ તે જ સાંજે શિમલા પરત ફરશે. 7 મેના રોજ રાષ્ટ્રપતિ, સંકટ મોચન મંદિર અને તારા દેવી મંદિરમાં પ્રાર્થના કરશે અને સાંજે મોલ રોડની મુલાકાત લેશે. આ પછી તે ઐતિહાસિક ગેયટી થિયેટરમાં સાંસ્કૃતિક સાંજ માણશે. ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ, 8 મેના રોજ સવારે શિમલાથી દિલ્હી માટે રવાના થશે.

રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને શિમલા શહેર, અનાડેલ અને કલ્યાણી હેલિપેડ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ ઉપરાંત એક હજારથી વધુ પોલીસ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

6 મેના રોજ યોજાનાર હિમાચલ પ્રદેશ સેન્ટ્રલ યુનિવર્સિટીના સાતમા દીક્ષાંત સમારોહમાં, 709 ડિગ્રી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આચાર્ય સત પ્રકાશ બંસલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરશે, જેમાં 18 છોકરીઓ અને 12 છોકરાઓનો સમાવેશ થાય છે. 11 વિદ્યાર્થીઓને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવશે, જેમાં સાત છોકરીઓ અને ચાર છોકરાઓનો સમાવેશ થાય છે. છ વિદ્યાર્થીઓને એમફીલની ડીગ્રી આપવામાં આવશે. વર્ષ 2019-22 યુજી અને વર્ષ 2020-22 પીજી વચ્ચે, 602 સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. એડવાન્સ્ડ ડિપ્લોમા નવ વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેમાં સાત પુરૂષ અને બે મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 11 છોકરીઓ અને 23 છોકરાઓ સહિત 34 વિદ્યાર્થીઓને પીજી ડિપ્લોમા આપવામાં આવશે અને આઠ છોકરીઓ અને નવ છોકરાઓ સહિત 17 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

દેશના રાષ્ટ્રપતિ, ત્રીજી વખત સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. 6 મેના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સીયુના સાતમા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે, જ્યારે અગાઉ વર્ષ 2014માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વર્ષ 2022માં તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હાજરી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ઉજ્જવલ/મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande