શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કુંડા વિતરણ : ઉનાળાને અનુલક્ષીને છાશનું પણ વિતરણ કરાશે
ગાંધીનગર,04 મે (હિ.સ.) ઉનાળાની દેહ દઝાડતી ગરમીમાં માણસો સહિત પશુ અને પક્ષીઓ વ્યાકુળ થઈ ગયા છે, ત્યાર
સેકટર 21 ખાતે કરવામાં આવશે


ગાંધીનગર,04 મે (હિ.સ.) ઉનાળાની દેહ દઝાડતી ગરમીમાં માણસો સહિત પશુ અને પક્ષીઓ વ્યાકુળ થઈ ગયા છે, ત્યારે શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાર વર્ષથી ઉનાળાની ગરમીમાં અબોલ પશુ- પક્ષીઓ માટે પાણીની સુવિધા હેતુસર નિ:શુલ્ક પાણીના કુંડાની સેવા આપવામાં આવી રહી છે. આ વર્ષે પણ મે મહિનાના પહેલા રવિવારે 10 હજાર પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તે સાથે ઠંડી મસાલેદાર છાસના વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વિતરણ સેવા ગાંધીનગરના સેક્ટર 21 માં ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર, ગોપાલ ડેરીની સામે પાર્કિંગ ખાતે યોજાશે. શહેરના તમામ નગરજનોને આ સેવાનો લાભ લેવા અને પક્ષી બચાવો અભિયાનમાં જોડાવા માટે સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ /હર્ષ શાહ


 rajesh pande