ગાંધીનગર,04 મે (હિ.સ.) ઉનાળાની દેહ દઝાડતી ગરમીમાં માણસો સહિત પશુ અને પક્ષીઓ વ્યાકુળ થઈ ગયા છે, ત્યારે શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાર વર્ષથી ઉનાળાની ગરમીમાં અબોલ પશુ- પક્ષીઓ માટે પાણીની સુવિધા હેતુસર નિ:શુલ્ક પાણીના કુંડાની સેવા આપવામાં આવી રહી છે. આ વર્ષે પણ મે મહિનાના પહેલા રવિવારે 10 હજાર પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તે સાથે ઠંડી મસાલેદાર છાસના વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વિતરણ સેવા ગાંધીનગરના સેક્ટર 21 માં ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર, ગોપાલ ડેરીની સામે પાર્કિંગ ખાતે યોજાશે. શહેરના તમામ નગરજનોને આ સેવાનો લાભ લેવા અને પક્ષી બચાવો અભિયાનમાં જોડાવા માટે સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ /હર્ષ શાહ