ઉલાનબટોરમાં ફસાયેલા 228 મુસાફરોને પરત લાવવા માટે એર ઇન્ડિયાની ખાસ ફ્લાઇટ
નવી દિલ્હી, 4 નવેમ્બર (હિ.સ.): ટાટાની આગેવાની હેઠળની એર ઇન્ડિયા એરલાઇન્સ ઉલાનબટોરમાં ફસાયેલા 228 મુસાફરોને પરત લાવવા માટે એક ખાસ ફ્લાઇટ મોકલશે. ટેકનિકલ સમસ્યાને કારણે સોમવારે એર ઇન્ડિયાની સન ફ્રાન્સિસ્કો-દિલ્હી ફ્લાઇટ મંગોલિયાની રાજધાની ઉતારવામાં આ
એર ઇન્ડિયા


નવી દિલ્હી, 4 નવેમ્બર (હિ.સ.): ટાટાની આગેવાની હેઠળની એર ઇન્ડિયા એરલાઇન્સ ઉલાનબટોરમાં ફસાયેલા 228 મુસાફરોને પરત લાવવા માટે એક ખાસ ફ્લાઇટ મોકલશે. ટેકનિકલ સમસ્યાને કારણે સોમવારે એર ઇન્ડિયાની સન ફ્રાન્સિસ્કો-દિલ્હી ફ્લાઇટ મંગોલિયાની રાજધાની ઉતારવામાં આવી.

એરલાઇને મંગળવારે જાહેરાત કરી હતી કે, તે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ174 (2 નવેમ્બરની સાન ફ્રાન્સિસ્કો-દિલ્હી ફ્લાઇટ) ના મુસાફરોને પરત લાવવા માટે રાહત ફ્લાઇટ ચલાવશે, જેને સોમવારે મંગોલિયાની રાજધાની ઉલાનબટોર તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટમાં 228 મુસાફરો અને 17 ક્રૂ સભ્યો સહિત 245 લોકો સવાર હતા.

એરલાઇને જણાવ્યું હતું કે, ફ્લાઇટ એઆઈ183 આજે બપોરે દિલ્હીથી રવાના થશે અને બુધવારે સવારે અસરગ્રસ્ત મુસાફરો સાથે પરત ફરશે. એર ઇન્ડિયા સ્થાનિક અધિકારીઓ અને મોંગોલિયામાં ભારતીય દૂતાવાસ સાથે મુસાફરો અને ક્રૂની સંભાળ રાખવા માટે કામ કરી રહી છે, જેમાં તેમના માટે હોટેલ રહેવાની વ્યવસ્થા પણ શામેલ છે. એરલાઇને જણાવ્યું હતું કે, મહેમાનોને નવી દિલ્હી લઈ જવા માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થાની જાણ કરવામાં આવી છે. એર ઇન્ડિયામાં, અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અને સુખાકારી અમારી ટોચની પ્રાથમિકતા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande