પ્રધાનમંત્રી મોદી, આજે બિહારના ઔરંગાબાદ અને ભભૂઆમાં જાહેર સભાઓ કરશે
પટણા, નવી દિલ્હી, 7 નવેમ્બર (હિ.સ.): બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે ચૂંટણી પ્રચાર માટે રાજ્યમાં પરત ફરી રહ્યા છે. તેમણે તેમના એક્સ હેન્ડલ પર આ જાહેરાત કર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


પટણા, નવી દિલ્હી, 7 નવેમ્બર (હિ.સ.): બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે ચૂંટણી પ્રચાર માટે રાજ્યમાં પરત ફરી રહ્યા છે. તેમણે તેમના એક્સ હેન્ડલ પર આ જાહેરાત કરી.

પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે એક્સ પર કહ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં એનડીએ એ નોંધપાત્ર લીડ મેળવી છે. વધુમાં, બીજા તબક્કામાં પણ તેમની સમર્થન લહેર દરેક જગ્યાએ દેખાઈ રહી છે. લોકોમાં આ ઉત્સાહ વચ્ચે, તેમને આવતીકાલે બપોરે 1:45 વાગ્યે ઔરંગાબાદમાં અને બપોરે 3:30 વાગ્યે ભભૂઆમાં તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરવાનો લહાવો મળશે.

હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande