


અંબાજી 08 ડિસેમ્બર (હિ.સ)વન્યજીવ વિભાગ બનાસકાંઠા ની અંબાજી ઉત્તર રેન્જ ના વિરમવેરી રાઉન્ડ પાડલીયા બીટ માં બાલારામ અંબાજી અભ્યારણ વિસ્તારમાં સરકારશ્રીની યોજનાકીય વિવિધ કામગીરીઓ ચાલુ હતી જે સમયે અભ્યારણ વિસ્તારમાં લક્ષ્મણભાઈ નાથાભાઈ ડુંગાઈશા રે.કેગોરા તા. અમીરગઢ દ્વારા એસી ભારત સરકાર ના નામે ચાલતા સંગઠન ના માણસો અંદાજે અંદાજે 100 થી 150 માણસનું ટોળું સાથે આવી કામગીરી બંધ કરાવી, ત્યારબાદ પાડલીયા નર્સરી ખાતે રોપા ઉછેરવાનની કામગીરી મજૂરો દ્વારા કરતા તમામ કામગીરી બંધ કરાવી સ્ટાફને અપશબ્દ તથા મજૂરોને કામ પરથી હાંકી કાઢી નર્સરીમાં કામે આવનાર તથા અભિયાન વિસ્તારમાં કામગીરી પર આવનાર રોજમદારોને બંધ કરાવેલ અને જે કામે આવશે એને દંડ અથવા સમાજની બહાર કાઢવામાં આવશે,
એમ જણાવી જે એ સી ભારત સંગઠન નામે, સંગઠન ચલાવતા લક્ષ્મણભાઈ નાથાભાઈ ડુંગાઈસા રે.કેગોરા તા.અમીરગઢ દ્વારા ઉશ્કેની જનક કામગીરી કરી સરકાર ના કામમો બંધ કરાવવામાં આવેલ જેઓ તથા સો માણસના ટોડા સામે સરકારી કામગીરીની રૂકાવટ તથા સરકારી કર્મચારી ને અસભ્યત વર્તન કરવા બાબતે પોલીસ સ્ટેશન અંબાજી માં એફઆઇઆર કરવામાં આવેલ છે વન વિભાગ દ્વારા અભ્યારણ વિસ્તારમાં અ પ્રવેશ વન્ય પ્રાણી તથા કામગીરીને નુકસાન બાબતે પ્રથમ ગુના રિપોર્ટ નોધી.
(૧)લક્ષ્મણભાઈ નાથાભાઈ ડુંગાઈશા રે. કેગારા (૨)સોમાભાઈ નાનાભાઈ ડુગાઈશા રે. પાડલીયા(૩)જયેશભાઈ ભીમાભાઇ ડુગાઈશા રે. પાડલીયા (૪) મનુભાઈ શકુરાભાઈ ડુંગાઈશા રે. વિરમવીર (૫)હોનાભાઈ સોમાભાઈ ડુંગાઈ રે. પાદલીયા (૬) દિનેશભાઈ અરજણભાઈ અંગારવી રે. પાદલીયા (૭)રત્નાભાઇ વક્તાભાઇ પરમાર રે. પાડલીયા વાળા સામે, આગળની કડક કાર્યવાહી કરવામાં આવનાર છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ