પોલીસના ત્રાસથી ભરૂચ જિલ્લાના કવિઠા ગામનાં યુવકનો આપઘાત
• દારૂનો વેપલો ચાલુ રાખવા પોલીસ કરતી હતી દબાણ • નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત બે જમાદાર સામે ગુનો નોંધાયો • મારી ફરિયાદને ગંભીરતાથી લીધી હોત તો આ બનાવ ન બન્યો હોત : મનસુખ વસાવા • ભરૂચ જવાબદાર પોલીસ અધિકારીઓનો વરઘોડો કાઢવો જોઈએ ભરૂચ 16 મ
પોલીસના ત્રાસથી ભરૂચ જિલ્લાના કવિઠા ગામનાં યુવકનો આપઘાત


પોલીસના ત્રાસથી ભરૂચ જિલ્લાના કવિઠા ગામનાં યુવકનો આપઘાત


પોલીસના ત્રાસથી ભરૂચ જિલ્લાના કવિઠા ગામનાં યુવકનો આપઘાત


પોલીસના ત્રાસથી ભરૂચ જિલ્લાના કવિઠા ગામનાં યુવકનો આપઘાત


• દારૂનો વેપલો ચાલુ રાખવા પોલીસ કરતી હતી દબાણ

• નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત બે જમાદાર સામે ગુનો નોંધાયો

• મારી ફરિયાદને ગંભીરતાથી લીધી હોત તો આ બનાવ ન બન્યો હોત : મનસુખ વસાવા

• ભરૂચ જવાબદાર પોલીસ અધિકારીઓનો વરઘોડો કાઢવો જોઈએ

ભરૂચ 16 માર્ચ (હિ.સ.). થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફની દાદાગીરી અંગે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. પરંતુ ઉપલા અધિકારી દ્વારા સમયસર પગલાં ભરાયા નહીં. જેથી તેમની હિંમત ખુલી અને આવી પ્રવૃત્તિ યથાવત રાખી હતી. પરિણામે પોલીસના ત્રાસથી કવિઠા ગામના એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. મોતને વહાલું કરતાં પહેલા તેણે મરણ નોંધ લખી જેમાં પોલીસ અધિકારીઓના નામ લખ્યા અને મોત માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે. આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા મેદાને આવ્યા છે. કોંગ્રેસે પણ અવાજ ઉઠાવ્યો છે. આખરે યુવકને આપઘાત કરવા માટે પ્રેરણા આપનાર નબીપુરના પોલીસ ઇન્સપેક્ટર પરમાર અને બે જમાદાર સામે ગુનો નોંધાયો છે. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથક હદ વિસ્તારમાં એક યુવકે ગઈકાલે ધૂળેટીના દિવસે આપઘાત કરી લીધો હતો. તેમના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટથી ખળભળાટ મચી ગયો છે. તેણે અંતિમ નોંધમાં પોલીસ પર આરોપ મુકતા લખ્યુ છે કે, 'મારા પર આ લોકો ખોટા કેસ બતાવે છે. હું પહેલા દારૂ વેચતો હતો પણ મે ચાર મહિનાથી બધુ બંધ કરી દીધું છે. એક કેસ તો મે કબૂલ કરી લીધો છે, તો પણ આ લોકો મારી ગાડી પણ નથી છોડતા અને મને ખોટો ફસાવે છે. રાતના મારી છોકરીને અને મારી વાઈફ અને મારી બહેનને પણ લઈ ગયા હતા. રોજ ઘરે આવે છે. બધુ ચેક કરે છે. મારા ઘરનાને પણ અપશબ્દો બોલે છે. આ લોકોને ધંધો મારી પાસે ચાલુ કરાવવો છે અને નહીં કરૂ તો રૂપિયા માંગે છે. ગામમાં મને રહેવા જેવો નથી રેવા દીધો, એટલે હું દવા પીને મારૂ જીવન ટૂંકાવું છું. મારા ગયા પછી મારા ઘરવારાને હેરાન ના કરે બસ આ મારી અરજી SP સાહેબ પાસે જઈને યોગ્ય પગલા લેવામાં આવે'. આ અંગે ભરુચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મનસુખ વસાવા સહિત વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણા, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, સંદિપ માંગરોલા, સમશાદ સૈયદ, આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતાં. ટોળાએ પોલીસ અધિકારીઓ સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. આ અંગે જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ નબીપૂર પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર એમ કે પરમાર તેમજ પોલીસ કર્મચારી એવા રાજેન્દ્રસિંહ અને સંદિપ વિરૂદ્વ આત્મહત્યા કરવા માટેની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નબીપુર પોલીસ સામાન્ય પ્રજા પર ત્રાસ ગુજારે છે તે અંગે ભરૂચના સાંસદે એક મહિના પહેલા જ ફરિયાદ કરી હતી. હવે આ યુવકના મોત બાદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મિસ્ટર પરમાર અને તેમના જમાદાર સ્ટાફે કવિઠા ગામ ના કિર્તન વસાવાને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો, ધમકી આપી, કિર્તન એ કહ્યુ કે, 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી. છતાં પણ કોઈને કોઈ રીતે એને મનાવવાના પ્રયત્ન કરે અને એટલું જ નહીં એની યુવાન દીકરીને બે ત્રણ દિવસ પહેલા રાત્રે બે વાગ્યે બોલાવી હતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ વગર એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યુ અનેક પ્રકારે એને ધમકી આપી અને એવા શબ્દ બોલ્યા કે મારાથી કહી ન શકાય એવા પ્રકારેએ છોકરીને આ પીઆઈ પરમારે ટોર્ચરિંગ કર્યુ. આ પી આઈ પરમાર એક મહિના પહેલા નબીપુર પોલીસ સ્ટેશનમાં આવતુ ગામ નિકોરામાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેનના ઘરે એની નાની બેનનું લગ્ન હતું. લગ્નના ત્રણ દિવસ બાકી હતા છતાં પણ સામાન રફેદફે કરી નાંખ્યું. તો કશું કંઈ મળે નહીં અને મને સમજાતુ નથી જેના ત્યાં પ્રસંગ છે.જિલ્લા પંચાયતના સભ્ય છે એના ઘરમાં આ પ્રકારે ખોટી રીતે ઘરમાં રેડ કરવાની, ટોર્ચરિંગ કરવાનું, માલસામાન રફે દફે કરવાનું મને સમજાતું નથી. અંગારેશ્વર ગામના આદિવાસી મહિલા સરપંચના ઘરમાં પણ ઘૂસી ગયો. આ વિચાર કરવા જેવું છે કે સરપંચોના ઘરમાં આ પ્રકારનું કૃત્ય કરે તો સામાન્ય માણસને આ લોકો કેટલું હેરાન કરતા હશે. ભરૂચ જિલ્લામાં રાજપારડી અને નબીપુર પોલીસ સ્ટેશન આવે છે. આના માટે જેતે સમયે જે ઘટના ઘટી તે વખતે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું કે આની તાત્કાલિક બદલી કરી નાખો ખરેખર જો તે વખતે બદલી કરવામાં આવી હોત તો કિર્તનને આ પ્રકારે સુસાઈડ કરવાનો સમય ન આવ્યો હોત. પણ પોલીસ નાં ત્રાસ અને જુલમના કારણે અને પીઆઈનું એટલુ ખરાબ વર્તન છે કે, ગમે તેને નાના મોટા કેસમાં ઘમકાવાના અને પૈસા કઢાવવાની અને એની સાથેના ત્રણથી ચાર પોલીસવાળા છે એમનો બધાનો જ આ પ્રકારનુ છે.પોલીસ પોતાને પ્રજાનો મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર નહીં દુશ્મન છે શત્રુ છે. આ પીઆઈ અને તેમની સાથેના કોન્સ્ટેબલ છે તેના સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને આ વિસ્તારની જનતાની પણ એવી માગણી છે કે, આને તાત્કાલીક અહીંયાથી હટાવી લઈ સસ્પેન્ડ અથવા તો ડીસમીસ કરી દેવા જોઈએ . અમે પરિવાર સાથે છીએ પરિવાર દુઃખી છે એ પરિવારને અમે સાંત્વના આપવા માટે અહીંયા આવ્યા છે. પોલીસના ત્રાસથી યુવકના મોતની ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસના આગેવાન સંદિપ સિંહ માંગરોલાએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના ગૃહમંત્રી વરઘોડાના ખુબ આશિક છે. આશા રાખીએ પોલીસનો વરઘોડો ગૃહરાજ્યમંત્રી આખા ગુજરાતમાં લઈને નીકળે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande