સુરત, 19 એપ્રિલ (હિ.સ.)-સુરત જિલ્લા આયુર્વેદ શાખા
તથા સચ્ચિદાનંદ સેવક મંડળના સહયોગથી
તા.20/4/2025ના રોજ રવિવારે સવારે 09:00 થી 12:30 કલાક દરમિયાન માધવાનંદ
આશ્રમ, કરાડા ગામ, તાપી કિનારે, સુરત ખાતે “સર્વરોગ મફત નિદાન સારવાર કેમ્પ” રાખવામાં આવ્યો છે આ કેમ્પમાં
હોમિયોપેથીક તથા આયુર્વેદિક દવાઓની સારવાર તથા આંખની તપાસ કરવામાં આવશે. જેમાં વધુમાં
વધુ લોકોને લાભ લેવા સુરત જિલ્લા આયુર્વેદ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે