દાહોદ, 31 મે (હિ.સ.) ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. ૭ મે, ૨૦૨૫ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.
ભારત સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પણ આજે તા.૩૧ મે ના રોજ સાંજે ૦૬ કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવી જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા શહેર ખાતે પણ આ મોકડ્રિલ નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું હતું જેમાં ટાવર રોડ ની પાછળ મંદિર પાસે યુદ્ધના કારણે હવાઈ હુમલા થતા ઘરોમાં આગ લાગી હતી અને સાઇરનો વાગવા લાગ્યા હતા અને લોકો પણ ઘાયલ થયા હતા જે જોતા સિવિલ ડિફેન્સ ની ટીમ સ્થળ ઉપર તાત્કાલિક એમબ્યુલેન્સ, ફાયર ફાઇટર, જવાનો, પોલીસ કાફલો સેવાભાવી સાંથના કાર્યકર્તાઓ અને સિવિલ ડિફેન્સ માં નોંધાયેલ સ્વયંસેવકો મદદે પહોંચી ઘાયલોને હોસ્પીટલ માટે મોકલ્યા હતા ફાયર આગળ કાબુ કરી હતી અને પોલીસે વિસ્તાર કોરડન કરી વધુ સેક્યુરિટી અને બંદોબસ્ત ગોઠવી રેસ્ક્યુ શરુ કર્યું હતું અને આમ આ રીતે ઇમેરજન્સી સમયે લોકોએ કેવી રીતે વર્તવું અને કઈ વસ્તુઓની કાળજી લેવી તે તમામ બાબતો એ દેવગઢ બારીયા ખાતે દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા અને જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ મોકડ્રીલ દરમ્યાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતના કર્મચારીઓ જોડાયા હતા . તેમજ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન થયું હતું
જેમાં વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આ રીતે મોકડ્રિલ પૂર્ણ થઇ હતી જેમાં લોકોએ ખુબ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah