કલકતા, નવી દિલ્હી, 1 જૂન (હિ.સ.)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કોલકાતાના રાજારહાટમાં સેન્ટ્રલ ફોરેન્સિક
સાયન્સ લેબોરેટરી (સીએસએફએલ) ની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે,” કેન્દ્ર સરકારનો
મુખ્ય ઉદ્દેશ્ય એક મજબૂત,
પુરાવા આધારિત
ફોજદારી ન્યાય વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે,” આ દિશામાં
ટેકનોલોજીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે.”
અમિત શાહે કહ્યું, અમારો પ્રયાસ ફોજદારી ન્યાય વ્યવસ્થાને પુરાવા
આધારિત બનાવવાનો છે, ચર્ચા આધારિત
નહીં. આનાથી ગુનેગારોને શંકાનો લાભ મળતા અટકાવી શકાશે નહીં પરંતુ પીડિતોને ન્યાય
પણ મળશે.
તેમણે ભાર મૂક્યો કે,” ગુનેગારોથી બે ડગલાં આગળ રહીને તપાસ
કરવી મહત્વપૂર્ણ છે અને આધુનિક ટેકનોલોજી આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” તેમણે
કહ્યું કે,” ડીએનએસિક્વન્સિંગની
મદદથી, 20 વર્ષ જૂના કેસ
ઉકેલાયા છે અને ફોરેન્સિક ઓડિટમાં ઘણા આર્થિક ગુનાઓ બહાર આવ્યા છે.”
ગૃહમંત્રીએ એ પણ માહિતી આપી કે,” કેન્દ્ર સરકાર દેશમાં
ફોરેન્સિક વિજ્ઞાન સુવિધાઓને આધુનિક બનાવવા માટે લગભગ 2,800 કરોડ રૂપિયાનો
પ્રોજેક્ટ લાવી રહી છે. આ અંતર્ગત, 200 કરોડ રૂપિયાના ખર્ચે એક રાષ્ટ્રીય ફોરેન્સિક ડેટા સેન્ટર
પણ સ્થાપિત કરવામાં આવશે,
જ્યાં કૃત્રિમ
બુદ્ધિ (એઆઇ) ની મદદથી વિશાળ
ડેટા વિશ્લેષણ કરવામાં આવશે.” તેમણે કહ્યું કે,” આ પહેલ પુરાવા-આધારિત ફોજદારી
ન્યાય પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.”
અમિત શાહ આજે કલકતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે, એક
રાજકીય સભાને પણ સંબોધિત કરવાના છે.જેમાં બંગાળ
ભાજપના તમામ સ્તરના નેતાઓ હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે,” આ બેઠકમાં તેઓ
આવતા વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિનો સંકેત
આપશે.”
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ