પાટણ, 1 જૂન (હિ.સ.) રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-2013 (NFSA) હેઠળ મફત અનાજ વિતરણ યોજનાની અવધિ લંબાઈ નિર્ણય લીધો છે. હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ 5 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ યોજના 31 મે 2025 સુધી માન્ય હતી, જેને વધુ એક મહિના માટે લંબાવીને લાભાર્થીઓને વધુ સમય સુધી મફત અનાજનો લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
યોજનાનો લાભ યોગ્ય લોકોને મળતો રહે અને કોઈ અનિચ્છનીય ખામીઓ ન રહે, તે માટે સરકાર દ્વારા e-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 85% કરતા વધુ લાભાર્થીઓએ તેમનું e-KYC પૂર્ણ કર્યું છે. સરકારે બાકી રહેલા તમામ લાભાર્થીઓને તાત્કાલિક e-KYC પૂર્ણ કરાવવા અપીલ પણ કરી છે.
લાભાર્થીઓ તેમના નજીકની વ્યાજબી ભાવની દુકાનથી અનાજ મેળવી શકે છે. રાજ્ય સરકાર NFSA હેઠળના તમામ પાત્ર નાગરિકોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આ યોજના કાર્યરત રહેશે તેવી ખાતરી આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર