રુદ્રપ્રયાગ (ઉત્તરાખંડ), નવી દિલ્હી,11 જૂન (હિ.સ.) ઉત્તર પ્રદેશના અલીગઢના છ યુવાનો, બાબાના દર્શન
કરીને કેદારનાથ ધામથી પરત ફરી રહ્યા હતા, તેઓ રામબાડા નજીક નદી પાર
કરતી વખતે ફસાઈ ગયા. આ દરમિયાન, એક યુવક નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો. એસડીઆરએફ
એ, બાકીના પાંચ યુવાનોને બચાવી લીધા છે.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી રુદ્રપ્રયાગે, રાત્રે
લગભગ 10:50 વાગ્યે એસડીઆરએફ ને જાણ કરી હતી કે,” લિંચોલી નજીક નદીમાં
પાંચ લોકો ફસાયેલા છે. માહિતી મળતાં એસડીઆરએફભીમબલી ટીમ
પહોંચી ગઈ. ટીમે પાંચેય યુવાનોને, સુરક્ષિત રીતે બચાવી લીધા. આ યુવાનોએ ટીમને
જણાવ્યું હતું કે તેઓ અલીગઢના રહેવાસી છે. બાબાના દર્શન કર્યા પછી, તેઓ ટૂંકા માર્ગે
ગરુડચટ્ટી તરફ જઈ રહ્યા હતા. તેઓ રામબાડા વિસ્તારમાં નદી પાર કરતી વખતે ફસાઈ ગયા.
આ દરમિયાન, તેમનો મિત્ર રાહુલ (22) તણાઈ ગયો. તેઓ તેને પકડી શક્યા નહીં.”
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” બચાવેલા પાંચ યુવાનોને મુખ્ય
માર્ગ પર સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને લિંચોલી પોલીસ
ચોકીને સોંપવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ