ઈશરોએ કહ્યું - એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ, ફરી મુલતવી રાખવામાં આવ્યું
નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓની અવકાશ મથકની ઐતિહાસિક યાત્રા, ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ આજે થવાનું હતું. લોન્ચ વ્હીકલમાં લીક થવાને
મિશન


નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય

ત્રણ અવકાશયાત્રીઓની અવકાશ મથકની ઐતિહાસિક યાત્રા, ફરી એકવાર મુલતવી રાખવામાં આવી

છે. એક્સિઓમ-4 મિશનનું

લોન્ચિંગ આજે થવાનું હતું. લોન્ચ વ્હીકલમાં લીક થવાને કારણે તે ફરી મુલતવી

રાખવામાં આવ્યું છે. ઈશરોના વડા ડૉ. વી. નારાયણને એક્સપર આ માહિતી આપી.

ડૉ. નારાયણને કહ્યું કે,” એક્સિઓમ-4 મિશન, જે 11 જૂને આઇએસએસ પર પ્રથમ ભારતીય

ગગનયાત્રી મોકલવા માટે લોન્ચ થવાનું હતું, તે મુલતવી રાખવામાં આવ્યું છે. ફાલ્કન 9 લોન્ચ વ્હીકલના

બૂસ્ટર સ્ટેજના પ્રદર્શનને માન્ય કરવા માટે લોન્ચ વ્હીકલની તૈયારીના ભાગ રૂપે, લોન્ચ પેડ પર

સાત-સેકન્ડનો હોટ ટેસ્ટ કરવામાં આવ્યો.”

પરીક્ષણ દરમિયાન પ્રનોદન બેમાં લીક જોવા મળ્યું. ઈશરોટીમે એક્સિઓમ-4, સ્પેસએક્સના

નિષ્ણાતો સાથે, આ વિષય પર ચર્ચાના આધારે લોન્ચને મંજૂરી આપતા પહેલા લીકને ઠીક

કરવાનો અને જરૂરી ચકાસણી પરીક્ષણો કરવાનો નિર્ણય લીધો. તેથી, પ્રથમ ભારતીય

અવકાશયાત્રીને આઇએસએસ પર મોકલવા માટે 11 જૂને યોજાનાર એક્સિઓમ-4 નું પ્રક્ષેપણ

મુલતવી રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એક્સિઓમ-4 મિશન આ પહેલા પણ ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યું છે.

અવકાશયાત્રીઓ 29 મેના રોજ રવાના

થવાના હતા, પરંતુ તે 8 જૂન સુધી મુલતવી

રાખવામાં આવ્યું હતું. આ પછી, તે 10 જૂન સુધી મુલતવી

રાખવામાં આવ્યું હતું. સ્પેસએક્સનું ફાલ્કન-9 રોકેટ મંગળવારે સાંજે, ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી

રવાના થવાનું હતું, પરંતુ ખરાબ

હવામાનને કારણે તે એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande