નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય
ત્રણ અવકાશયાત્રીઓની અવકાશ મથકની ઐતિહાસિક યાત્રા, ફરી એકવાર મુલતવી રાખવામાં આવી
છે. એક્સિઓમ-4 મિશનનું
લોન્ચિંગ આજે થવાનું હતું. લોન્ચ વ્હીકલમાં લીક થવાને કારણે તે ફરી મુલતવી
રાખવામાં આવ્યું છે. ઈશરોના વડા ડૉ. વી. નારાયણને એક્સપર આ માહિતી આપી.
ડૉ. નારાયણને કહ્યું કે,” એક્સિઓમ-4 મિશન, જે 11 જૂને આઇએસએસ પર પ્રથમ ભારતીય
ગગનયાત્રી મોકલવા માટે લોન્ચ થવાનું હતું, તે મુલતવી રાખવામાં આવ્યું છે. ફાલ્કન 9 લોન્ચ વ્હીકલના
બૂસ્ટર સ્ટેજના પ્રદર્શનને માન્ય કરવા માટે લોન્ચ વ્હીકલની તૈયારીના ભાગ રૂપે, લોન્ચ પેડ પર
સાત-સેકન્ડનો હોટ ટેસ્ટ કરવામાં આવ્યો.”
પરીક્ષણ દરમિયાન પ્રનોદન બેમાં લીક જોવા મળ્યું. ઈશરોટીમે એક્સિઓમ-4, સ્પેસએક્સના
નિષ્ણાતો સાથે, આ વિષય પર ચર્ચાના આધારે લોન્ચને મંજૂરી આપતા પહેલા લીકને ઠીક
કરવાનો અને જરૂરી ચકાસણી પરીક્ષણો કરવાનો નિર્ણય લીધો. તેથી, પ્રથમ ભારતીય
અવકાશયાત્રીને આઇએસએસ પર મોકલવા માટે 11 જૂને યોજાનાર એક્સિઓમ-4 નું પ્રક્ષેપણ
મુલતવી રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એક્સિઓમ-4 મિશન આ પહેલા પણ ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યું છે.
અવકાશયાત્રીઓ 29 મેના રોજ રવાના
થવાના હતા, પરંતુ તે 8 જૂન સુધી મુલતવી
રાખવામાં આવ્યું હતું. આ પછી, તે 10 જૂન સુધી મુલતવી
રાખવામાં આવ્યું હતું. સ્પેસએક્સનું ફાલ્કન-9 રોકેટ મંગળવારે સાંજે, ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી
રવાના થવાનું હતું, પરંતુ ખરાબ
હવામાનને કારણે તે એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ