24 કલાકમાં કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા, સાત હજારને પાર,છ લોકોના મોત
નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા સાત હજારને વટાવી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં ૩૦6 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશભરમાં સ
કોરોના


નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા સાત

હજારને વટાવી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બુધવારે જાહેર

કરાયેલા તાજેતરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં ૩૦6 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશભરમાં સક્રિય

કેસોની સંખ્યા વધીને 7,121 થઈ ગઈ છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર,”છેલ્લા 24 કલાકમાં છ મૃત્યુ નોંધાયા છે. છ મૃત્યુમાંથી ત્રણ

કેરળમાં, બે કર્ણાટકમાં

અને એક મહારાષ્ટ્રમાં થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 929 લોકો, કોરોનામાંથી સ્વસ્થ પણ થયા છે.”

જો આપણે રાજ્યોની વાત કરીએ તો, કેરળમાં સૌથી વધુ

2,223 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 17૦ નવા કેસ સાથે, અહીં સૌથી વધુ

નવા ચેપના કેસ નોંધાયા છે. ગુજરાતમાં 114 નવા કેસ નોંધાયા

છે, જેનાથી અહીં

સક્રિય કેસની સંખ્યા 1,223 થઈ ગઈ છે.

દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે અને સક્રિય કેસ 757 પર પહોંચી ગયા

છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande