મલ્લિકાર્જુન ખડગે અને સિદ્ધારમૈયાએ, કોંગ્રેસ નેતાઓ પર ઈડી ના દરોડા પર નારાજગી વ્યક્ત કરી
બેંગલુરુ, નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.). કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ, બેલ્લારી કોંગ્રેસના સાંસદ ઇ. તુકારામ અને પાર્ટીના ત્રણ ધારાસભ્યોના પરિસર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા પર સખત વાંધો ઉઠાવ્યો છે. બુ
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે


બેંગલુરુ, નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.). કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ, બેલ્લારી કોંગ્રેસના સાંસદ ઇ. તુકારામ અને પાર્ટીના ત્રણ ધારાસભ્યોના પરિસર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા પર સખત વાંધો ઉઠાવ્યો છે. બુધવારે મલ્લિકાર્જુન ખડગેએ, કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ પાર્ટીને વિભાજીત કરવા માટે ઈડી ના દરોડાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો.

રાજ્યના કલબુર્ગીમાં બોલતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે, જેના કારણે તેઓ સતત કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. ઈડી ના દરોડા દ્વારા કોંગ્રેસ પાર્ટીને હેરાન કરવામાં આવી રહી છે. આ પાર્ટીને વિભાજીત કરવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યું છે, પરંતુ તે શક્ય નથી. ઈડી ના અધિકારીઓ દરોડાનું કારણ જાણે છે. ખડગેએ કહ્યું કે, ઈડી ના અધિકારીઓ દ્વારા દરોડા કંઈ નવું નથી.

દરમિયાન, રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યો પર દરોડા પર નારાજગી વ્યક્ત કરી છે. ચિક્કાબલ્લાપુર જિલ્લાના ગૌરીબીદાનુરમાં તેમણે કહ્યું કે, જો ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય, તો અમે તેનું સમર્થન કરીશું નહીં. જો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે, તો અમે કાયદાના અમલીકરણમાં અવરોધ નહીં લાવીએ.

હકીકતમાં, બુધવારે, કર્ણાટકના બેલ્લારી અને બેંગલુરુમાં કર્ણાટક આદિવાસી કલ્યાણ બોર્ડ સંબંધિત નાણાકીય ગેરરીતિઓના કેસમાં બેલ્લારીના કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોના કાર્યાલયો અને તેમના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડી ની અલગ અલગ ટીમોએ બેલ્લારીના સાંસદ ઇ. તુકારામના સંદુર નિવાસસ્થાન, બેલ્લારીના ધારાસભ્ય નારા ભરત રેડ્ડીના નેહરુ કોલોની નિવાસસ્થાન, ધારાસભ્ય જે.એન. ગણેશના હોસ્પેટ નિવાસસ્થાન, ધારાસભ્ય ડૉ. એનટી શ્રીનિવાસના કુડલીગી નિવાસસ્થાન અને ધારાસભ્ય બી. નાગેન્દ્રના નજીકના સહયોગી ગોવર્ધન રેડ્ડીના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / ઉદય કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande