ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા માટે અરવલ્લી જિલ્લા આયોજન સમિતિની બેઠક યોજાઈ.
મોડાસા, 13 જૂન (હિ.સ.) ગાયત્રી પરિવાર જન સમાજને યોગ્ય રાહ ચિંધવા અનેક રચનાત્મક, સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના અગ્રણી હરેશભ
A meeting of the Aravalli District Planning Committee was held for the Indian Culture Knowledge Test.


મોડાસા, 13 જૂન (હિ.સ.) ગાયત્રી પરિવાર જન સમાજને યોગ્ય રાહ ચિંધવા અનેક રચનાત્મક, સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના અગ્રણી હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા વર્ષ ૨૦૦૧ થી ભારતભરમાં ૨૨ રાજ્યોમાં કુલ ૧૧ અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ પાંચ થી કૉલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થી જીવનમાં બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ના રહે. આ અભ્યાસક્રમ સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન થાય છે. આ પરિક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્ય તથા શિક્ષકો નિ:શુલ્ક સેવા સહકાર આપી રહ્યાં છે. છેલ્લે ૨૦૨૪ માં લેવાયેલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં અરવલ્લી જિલ્લામાં સોળ હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ વર્ષે ૧૩ ઓક્ટોબરે ૨૦૨૫ ના રોજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન થનાર છે. આ માટે ૧૧ જૂને અરવલ્લી જિલ્લા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આયોજન બેઠક મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે યોજાઈ. આ પરિક્ષાના ગુજરાતના સંયોજક શંકરભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી દિપ પ્રજ્વલિત કરી શુભારંભ થયો. અરવલ્લી જિલ્લા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના અરવલ્લી જિલ્લા સંયોજક ધર્માભાઈ પટેલે સૌનું સ્વાગત સન્માન કર્યું. શંકરભાઈ પટેલે આ પરીક્ષા દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તેમ સમગ્ર જિલ્લાએ પ્રયાસ હાથ ધરવા યોજના સમજાવી. ઉપસ્થિત સૌ મહેમાનોએ પોતાના મંતવ્યો રજુ કર્યા.

ત્યારબાદ આ વર્ષે યોજાનાર પરીક્ષા અંગે તમામ તાલુકાના સંચાલકોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. આ વર્ષે ૨૪૦૦૦ વિદ્યાર્થીઓ લાભાન્વિત બને તેમ યોજના ઘડાઈ. ખજાનચી મહેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહેનાર સૌનો આભાર વ્યક્ત કરી સમાપન થયું.

આ બેઠકમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી ચાર જિલ્લાના સંયોજક નટુભાઈ દલવાડી ઉપસ્થિત રહ્યાં. ગુજરાત યુવા સંયોજક કિરિટભાઈ સોની, અમદાવાદથી ચંદ્રકાન્તભાઈ પટેલ, ભાણજીભાઈ, અરવલ્લી જિલ્લા સહ સંયોજક જે. ડી. પટેલ તેમજ મોડાસા સહિત બાયડ, ધનસુરા, ભિલોડા, મેઘરજ, માલપુર તમામ તાલુકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande