નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો હોય તેવું લાગે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આજના આંકડા મુજબ, દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 7,131 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં એક વ્યક્તિનું મોત થયું છે. સારી વાત એ છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં 10976 થી વધુ લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે.
કેરળ અને દિલ્હી જેવા રાજ્યોમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. જોકે, કેરળમાં હજુ પણ સૌથી વધુ કોરોના કેસ છે. કેરળમાં આજે સક્રિય કેસોની સંખ્યા 2055 છે. કોરોના ડેશબોર્ડ મુજબ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ આ વર્ષે સક્રિય કેસોની સંખ્યા ખૂબ જ વધારે નોંધાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ