જૂનાગઢ ભારતીય ચૂંટણી પંચની નવી જોગવાઈઓનું રાજ્યની પેટા ચૂંટણીમાં અમલ થશે
જૂનાગઢ, 13 જૂન (હિ.સ.) ભારતીય ચૂંટણી પંચે મતદાન મથક નજીક બૂથ ઊભા કરવા માટેની જોગવાઈ હતી, તેમાં ફેરફાર કર્યો છે. જેનો રાજ્યની વિધાનસભા પેટા ચૂંટણીમાં અમલ થવા જઈ રહ્યો છે, આ ફેરફાર મુજબ હવે મતદાન મથકના પ્રવેશ દ્વારથી ૧૦૦ મીટરના અંતર સુધી કોઈપણ બૂથ ઊ
જૂનાગઢ ભારતીય ચૂંટણી પંચની નવી જોગવાઈઓનું રાજ્યની પેટા ચૂંટણીમાં અમલ થશે


જૂનાગઢ, 13 જૂન (હિ.સ.) ભારતીય ચૂંટણી પંચે મતદાન મથક નજીક બૂથ ઊભા કરવા માટેની જોગવાઈ હતી, તેમાં ફેરફાર કર્યો છે. જેનો રાજ્યની વિધાનસભા પેટા ચૂંટણીમાં અમલ થવા જઈ રહ્યો છે, આ ફેરફાર મુજબ હવે મતદાન મથકના પ્રવેશ દ્વારથી ૧૦૦ મીટરના અંતર સુધી કોઈપણ બૂથ ઊભા કરી શકાશે નહીં. આમ, મતદાન મથકના પ્રવેશ દ્વારથી ૨૦૦ મીટર દૂર ઊભા કરવાની જોગવાઈ હતી તેમાં પરિવર્તન કરીને ૧૦૦ મીટર કરવામાં આવી છે.

ઈસીઆઈની અદ્યતન સૂચના અનુસાર મતદાનના દિવસે આ બાબતે મૂંઝવણની સ્થિતિ નિવારવા માટે મતદાનના ઓછામાં ઓછા ૩ દિવસ પહેલા મતદાન મથક પરિસરથી ૧૦૦ મીટરના વિસ્તારને ચિહ્નિત કરી દેવામાં આવશે.

બુથ પર ફક્ત એક ટેબલ અને બે ખુરશી રાખી શકાશે. ખુરશી પર બેસનારને પ્રતિકૂળ વાતાવરણ સામે રક્ષણ મળી શકે તે માટે છત્રીવાળા બુથ રાખી શકાશે અથવા ૧૦ X ૧૦ ફુટથી વધારે માપના ન હોય તેવા નાના ટેન્ટ ઉભા કરી શકાશે.

દરેક ઉમેદવાર કે જેઓ આવા બુથ ઉભા કરવા ઈચ્છતા હોય તેઓએ જે મતદાન મથકે આવા બુથ હભા કરવા માંગતા હોય તે મતદાન મથકના નામ અને નંબરની અગાઉથી ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. જો સ્થાનિક કાયદા હેઠળ આવા બૂથ ઉભા કરવા સ્થાનિક સત્તાધિકારી જેવા કે મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયત વિગેરેની પૂર્વ મંજુરી લેવાની રહેતી હોય તો તેઓની લેખિત મંજુરી પણ લેવાની રહેશે અને આવી પરવાનગી જે તે બૂથ ખાતે ઉપલબ્ધ રાખવાની રહેશે તેમજ કોઈ પોલીસ - ચૂંટણી સત્તાધિકારી દ્વારા માંગ્યેથી તે દેખાડવાની રહેશે.

બૂથ ઉભા કરતી વખતેની વ્યાપક માર્ગદર્શિકા મુજબ આવા બુથ જાહેર અથવા ખાનગી મિલકત પર અતિક્રમણ કરીને ઉભા કરી શકાશે નહીં અને બૂથ કોઈપણ ધાર્મિક સ્થળો કે તેના પરિસરમાં ઉભા કરી શકાશે નહીં. કોઈ શૈક્ષણિક સંસ્થા અથવા હોસ્પિટલને લગોલગ ઉભા કરી શકાશે નહીં.

ઉપરાંત ઉમેદવારોના કેમ્પ સાદા હોય તે સુનિશ્ચિત કરવામાં આવશે. કેમ્પ પર કોઇપણ પોસ્ટર, ઝંડા, પ્રતિકો કે અન્ય કોઇપણ પ્રકારની પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહી. વધુમાં, કેમ્પ પર ખાદ્ય સામગ્રી વહેંચી શકાશે નહીં તેમજ ટોળું એકત્રિત કરી શકાશે નહીં. ઉભા કરવામાં આવેલ બુથ તથા ત્યા હાથ ધરાયેલ પ્રવૃતિઓનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચનાં ખાતામાં ઉધારવાનો રહેશે.

આ બૂથ બિનસરકારી ઓળખ કાપલી આપવાના એકમાત્ર હેતુ માટે ઉભા કરી શકાશે. ચૂંટણી આયોગની સૂચના મુજબ, આવી ઓળખ કાપલી પર ઉમેદવારના નામ, પ્રતિક કે તેના રાજકીય પક્ષનું નામ છપાયેલ ન હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

કોઈપણ સંજોગોમાં બૂથ પર ટોળુ જમા થવા દેવામાં આવશે નહીં અને જે મતદારે મત આપી દીધો હોય તે મતદાર બુથ પર આવી શકશે નહી. બુથનું સંચાલન કરતી વ્યક્તિઓ મતદાન મથકે જતા મતદારને અન્ય ઉમેદવારે ઉભા કરેલા બુથ પર જતા અટકાવી શકશે નહીં અને મતદારોને તેઓની ઈચ્છા મુજબ મતાધિકારનો ઉપયોગ કરવા આડે કોઈ વિઘ્ન ઉભુ કરી શકાશે નહીં. ખાસ કરીને કોઈ મતદારને કોઈ ચોક્કસ બૂથ પર આવીને મતદાર કાપલી મેળવવા માટે વગ વાપરી કે દબાણ કરી શકાશે નહીં. મતદાર પોતાની ઈચ્છાથી જે તે બૂથ પર કાપલી લેવા આવે ત્યારે ચૂંટણી લડતા કોઈ ઉમેદવાર- પક્ષની તરફેણમાં કે વિરોધમાં મત આપવા તે મતદાર પર વગ વાપરી શકશે નહીં.

આ નિર્દેશોના ઉલ્લંઘનને આયોગ દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવશે અને નિર્દેશોના ઉલ્લંઘન બદલ આવા બૂથને દૂર કરવા ઉપરાંત જવાબદાર ઉમેદવારો અથવા તેમના એજન્ટો- કાર્યકર્તાઓ સામે તાત્કાલિક ધોરણે કાયદા હેઠળ શક્ય તેટલા કડક પગલાં લેવામાં આવશે.

વધુમાં મતદાનના દિવસે મતદાન મથકના ૧૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર સંબંધિત કોઈપણ ગતિવિધિ હાથ ધરી શકશે નહી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande