અભિનેત્રી કરિશ્માના પૂર્વ પતિ, સંજય કપૂરનું અવસાન
લંડન, નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). ભારતીય અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ, સંજય કપૂરનું ગુરુવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. 53 વર્ષીય સંજય કપૂર પોલો રમતી વખતે અચાનક બેભાન થઈ ગયા. અભિનેતા સુહેલ સેઠે, તેમના એક્સ હેન્ડલ પર સ
અભિનેત્રી કરિશ્મા કપૂર અને સંજય કપૂર


લંડન, નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). ભારતીય અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ, સંજય કપૂરનું ગુરુવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. 53 વર્ષીય સંજય કપૂર પોલો રમતી વખતે અચાનક બેભાન થઈ ગયા.

અભિનેતા સુહેલ સેઠે, તેમના એક્સ હેન્ડલ પર સંજય કપૂરના મૃત્યુના સમાચાર શેર કર્યા. સુહેલે એક્સ પર લખ્યું, સંજય કપૂરના અવસાન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. આજે સવારે તેમનું ઇંગ્લેન્ડમાં અવસાન થયું. આ એક મોટું નુકસાન છે અને તેમના પરિવાર અને તેમના સાથીદારો પ્રત્યે ઊંડી સંવેદના છે. ઓમ શાંતિ.

29 સપ્ટેમ્બર, 2003 ના રોજ, બંનેએ મુંબઈમાં અભિનેત્રીના પૈતૃક ઘર 'કૃષ્ણ રાજ બંગલા'માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. સંજય અને કરિશ્માને બે બાળકો છે - પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. 2014 માં, દંપતીએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી. 2016 માં દંપતીએ છૂટાછેડા લીધા. આ પછી સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા. સંજય કપૂર અને પ્રિયા સચદેવને સાત વર્ષનો પુત્ર અજારિયસ છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

 rajesh pande