દેવભૂમિ દ્વારકા, 13 જૂન (હિ.સ.) : પ્લેન દુર્ઘટનાગ્રસ્ત માં દેવભૂમિદ્વારકા દ્વારકા જિલ્લાના ભાણવડના રિધ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા ઉંમર:-25 વર્ષ અને તેમના પુત્ર ક્રિયાંશ ઉંમર:-03 વર્ષ દુર્ઘટના ગ્રસ્ત પ્લેનમાં સીટ નંબર 31A અને 31B સવાર હતા, જેમાં ટીકીટ નંબર 52 અને 53 જે ઓથોરિટી દ્વારા આપેલ લીષ્ટ માં સામેલ હતા.
હરીશભાઈ અને તેમના પત્ની પુત્ર સાથે લંડનમાં રહેતા હતા ત્યારે અંગત કારણોસર માતા પુત્ર વતન આવેલા હતા ત્યારે પાછા લંડન જવા માટે નીકળ્યા હતા તે પ્લેન ક્રેશ થતા પરિવારમાં શોક.
બનાવના પગલે ભાણવડ મામલતદાર એ.પી.ચાવડા તથા નગરપાલિકા ચીફ ઓફિસર તથા પાલીકા પ્રમુખ સહીતના સભ્યો પરીવારના નિવાસ સ્થાને દોડી ગયા હતા અને પરીવારની આ મુશ્કેલ ઘડીમાં તમામ શક્ય મદદ માટે ખાતરી આપી હતી, તેમજ પરીવારને સાન્તવના પાઠવી હતી અને દુર્ઘટનાથી સમસ્ત મેર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યુ.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ