ચંદીગઢ, નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). શુક્રવારે પંજાબના પઠાણકોટમાં, વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું. પાયલોટ અને અન્ય સૈનિકો સુરક્ષિત છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરે, શુક્રવારે પઠાણકોટ એરબેઝથી ઉડાન ભરી હતી. હલેડા ગામ નજીક પહોંચતા જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. કટોકટી જોઈને પાયલોટે તેને ખેતરમાં ઉતારી દીધું. આ ઘટનાની જાણ થતાં જ સેના અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સેનાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સુધારવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ અંગે વાયુસેના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ