પોરબંદર, 17 જૂન (હિ.સ.)પોરબંદર શહેરજનોને વરસાદી પાણીનો ભય સતાવી રહ્યો છે કારણ કે ગત વર્ષે પડલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરક થય ગયા હતા અને લોકોને ભારે નુકશાન વેઢવાની સાથે યાતના પણ વેઠવી પડી હતી આજે છાયા રણ વિસ્તારના લોકો મોટી સંખ્યામા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને સત્તાધિશોને એવી રજુઆત કરી હતી કે હાલ ગોઢાણીયા કોલેજ પાસે આવેલા મનપાના સંમ્પ દ્રારા પ્રતાપ મંડપ સર્વિસના પાછળના ભાગમા વરસાદી પાણી ઠાલવામાં આવી રહ્યુ છે જેના કારણે છાયા રણના પાણીનુ સ્તર વધી રહ્યુ છે. જો ભારે વરસાદ પડશે તો રણ વિસ્તારના ઘર સુધી પાણી ફરી વળશે જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડશે ગત વર્ષ રણનુ પાણી છાયા રણ વિસ્તારમાં રણના પાણી દિવસો સુધી
ભરાયેલા રહ્યા હતા જેના કારણે લોકોની ઘરવખરીને નુકશાન થયુ હતુ તેમજ મુશ્કેલીનો પણ સામનો કરવો પડયો હતો આથી આ પરિસ્થિતિનુ આ વર્ષે પણ પુનરાવર્તન ન થાય તે માટે રણના પાણીનો નિકાલ વહેલી તકે કરવાની માંગ કરી હતી વરસાદી પાણી ઉપરાંત વેરામા વધારો કરવામાં આવતા તેમનો પણ છાયા રણ વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો આજે મનપાના એન્જીનીયરને સાથે સ્થળ નિરિક્ષણ કરવામા આવ્યુ છે.
*પાણી નિકાલ માટે સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યુ : બારૈયા*
પોરબંદર છાયા રણ વિસ્તારના લોકોએ, વરસાદી પાણીના નિકાલ માટેની રજુઆત કરતા મનપાના એન્જીનીયર બારૈયાના જણાવ્યા અનુસાર લોકોની રજુઆતને પગલે સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યુ હતુ તેમજ રણ વિસ્તારના પાણી નિકાલ માટે બિરલા ફેકટરી પાસે પમ્પીંગ સ્ટેશન મોટી ઇલેકટ્રીક મોટર મુકી દેવામાં આવી છે અને વરસાદી પાણીનો નિકલ કરવામા આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya