સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી ખાતે, સાંજે ૦૫.૦૦ થી ૦૬.૦૦ દરમિયાન યોગાભ્યાસ કરી તંદુરસ્તી કેળવતાં નાગરિકો
ગીર સોમનાથ, 19 જૂન (હિ.સ.) સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસ પહેલા નાગરિકો યોગ અભ્યાસ અંગે જાગૃત થાય એ માટે યોગ કરાવવામાં આવી રહ્યાં છે. ગુજરાત રાજ્ય યોગ બ
સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી ખાતે


ગીર સોમનાથ, 19 જૂન (હિ.સ.) સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસ પહેલા નાગરિકો યોગ અભ્યાસ અંગે જાગૃત થાય એ માટે યોગ કરાવવામાં આવી રહ્યાં છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટીફાઈડ યોગ કોચ/યોગ ટ્રેનરો દ્વારા જિલ્લામાં તા. ૧૫ મી જૂનથી કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગ ટ્રેનર દ્વારા નાગરિકોને કોમન યોગા પ્રોટોકોલની તાલીમ અપાઈ રહી છે. જેમાં સાંજે ૦૫.૦૦ થી ૦૬.૦૦ દરમિયાન યોગાભ્યાસ કરી નાગરિકો તંદુરસ્તી કેળવી રહ્યાં છે.

આ તાલીમમાં વિવિધ યોગ અને આસનો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય જાળવવા અને તંદુરસ્તી કેળવવા માટે નિયમિત યોગની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી અને યોગનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande