પીડિત મહિલાઓને મદદ કરવા માટે હંમેશા તૈયાર ..... ઇન્દોરના વન સ્ટોપ સેન્ટર....
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) ઘણીવાર કડવા અનુભવો પછી જીવનની દિશા અને સ્થિતિ બદલાઈ જાય છે. કેટલાક લોકો તેને સકારાત્મક રીતે લે છે અને માત્ર તેમના જીવનમાં સુધારો કરવાનું શરૂ કરતા નથી, પરંતુ મદદનો હાથ લંબાવીને તેમના જેવી મહિલાઓને મદદ કરવાન
પીડિત


નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) ઘણીવાર કડવા અનુભવો પછી જીવનની

દિશા અને સ્થિતિ બદલાઈ જાય છે. કેટલાક લોકો તેને સકારાત્મક રીતે લે છે અને માત્ર

તેમના જીવનમાં સુધારો કરવાનું શરૂ કરતા નથી, પરંતુ મદદનો હાથ લંબાવીને તેમના જેવી મહિલાઓને મદદ કરવાનું

પણ શરૂ કરે છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહયોગથી, ચલાવવામાં આવી

રહેલા ઇન્દોરના વન સ્ટોપ સેન્ટરમાં પીડિત મહિલાઓની આવી ઘણી પ્રેરણાદાયી વાર્તાઓ

મળી શકે છે.

રેખા (નામ બદલ્યું છે)ની વાર્તા, કોઈ પ્રેરણાથી ઓછી નથી. 36 વર્ષીય રેખાના

પતિએ ચાર વર્ષ પહેલાં તેનું ગળું દબાવીને તેને, રસ્તા પર મરવા માટે છોડી દીધી હતી.

કોરોનાનો મુશ્કેલ સમય હતો,

ઘાયલ રેખા કોઈક

રીતે, ઇન્દોરના વિજયનગરમાં આવેલા વન સ્ટોપ સેન્ટરમાં પહોંચી અને ત્યાં સાત દિવસ

સુધી આશ્રય લીધો.

તેણી કહે છે કે,” તેના સાસરિયાઓએ તેણીને તેના પતિ સાથે

મધ્યરાત્રિએ માર માર્યો અને તેને ઘરની બહાર કાઢી મૂકી. મધ્યરાત્રિએ તે વન સ્ટોપ

સેન્ટર પહોંચી, જ્યાં તેણીને તબીબી સુવિધાઓ સાથે સાત દિવસ માટે આશ્રય આપવામાં

આવ્યો. તેણીને કાનૂની સહાય અને કાઉન્સેલિંગ મળ્યું. ત્યારબાદ, છ મહિનાની તાલીમ

આપ્યા પછી, તેણીને એક એનજીઓમાં નોકરી

આપવામાં આવી. આજે પણ પોતાની કાનૂની લડાઈ ચાલુ રાખતા, રેખા હવે તેમના જેવી મહિલાઓને મદદ કરી રહી છે,

જેમને તેમના સાસરિયાઓ દ્વારા હેરાન કરવામાં આવે છે. તે તેમને શક્તિ પણ આપી રહી છે.”

પોતાના કેસ વિશે માહિતી મેળવવા માટે ઇન્દોરના વિજય નગરમાં

આવેલા વન સ્ટોપ સેન્ટર પહોંચેલી રેખા કહે છે કે,” સ્ત્રીઓ ઘણીવાર પોતાના સંબંધો

બચાવવાના પ્રયાસમાં ભૂલી જાય છે કે, તેમનું પણ અસ્તિત્વ છે.તેમને પણ માથું

ઉંચુ કરીને જીવવાનો અધિકાર છે. હેરાનગતિ સહન કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી, તેથી સૌ પ્રથમ

સ્ત્રીઓએ પોતાને મજબૂત બનાવવું જોઈએ અને આ જ પાઠ તે હવે અડધી વસ્તીને આપી રહી છે.”

હર્ષિતા (નામ બદલ્યું છે) તેની, એક મહિનાની બાળકી સાથે આ

સેન્ટર પહોંચી હતી. પોતાના વારાની રાહ જોતી વખતે, તેની આંસુઓથી ભરેલી આંખો સ્પષ્ટપણે તેના તેમજ

તેની પુત્રીના ભવિષ્ય પ્રત્યેની તેની ચિંતા દર્શાવે છે. તે કહે છે કે,” તેના પતિએ

તેને ફક્ત એટલા માટે ઘરમાંથી કાઢી મૂકી હતી, કારણ કે તેણે પુત્રીને જન્મ આપ્યો

હતો. બે વર્ષ પહેલા લગ્ન કર્યા પછી, સુંદર જીવનનું સ્વપ્ન હવે તૂટી રહ્યું છે.”

હર્ષિતા કહે છે કે,” હવે તેણે પોતાની અને તેની પુત્રીની સંભાળ રાખવી પડશે.”

અર્થશાસ્ત્રમાં એમએ કરનારી હર્ષિતા હવે પોતાની દીકરી માટે ન્યાય માંગે છે અને તેની

સાથે થયેલા છેતરપિંડીનો પણ સામનો કરે છે. હર્ષિતા ઇચ્છે છે કે,” તેનું ઘર વસે. આ

આશા સાથે, તે છેલ્લા એક

મહિનાથી આ સેન્ટરમાં આવી રહી છે અને કાનૂની સલાહ લઈ રહી છે.” હર્ષિતાને આશા છે કે,

એક દિવસ તેનો પતિ ચોક્કસ આ સેન્ટરમાં સુનાવણી માટે આવશે અને બધું સારું થઈ જશે.

5૦ વર્ષીય કૌશલ્યા પણ ન્યાય માટે વન સ્ટોપ સેન્ટર પહોંચી

હતી. આ ઉંમરે પણ તેનો પતિ તેને રોજ માર મારે છે. તે ઘરમાં વાસણો ધોઈને જે કંઈ કમાય

છે તે છીનવી લે છે અને તેને ઘરમાંથી કાઢી મૂકે છે. પતિના આ ત્રાસથી કંટાળીને તે

હવે, મદદ માટે વન સ્ટોપ સેન્ટરમાં આવી રહી છે. કૌશલ્યા કહે છે કે,” બાળકો પણ મોટા

થઈ ગયા છે, પરંતુ રોજિંદા

માર સહન કરવાની પણ એક મર્યાદા હોય છે. હવે તે પોતાના પતિને મનાવીને પોતાનું જીવન

જીવવા માંગે છે. તેને ફક્ત એવી આશા છે કે, એક દિવસ તેના જીવનમાં બધું સારું થઈ

જશે.” પીડિત મહિલાઓના, આવા ઘણા કિસ્સાઓ દરરોજ અહીં આવે છે.

વન સ્ટોપ સેન્ટરના

સંચાલક ડૉ. વંચના સિંહ પરિહાર જણાવે છે કે,” જ્યારે નિર્ભયા ફંડમાંથી, પીડિત

મહિલાઓ માટે, દેશભરમાં વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે ઇન્દોરમાં

એક સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2016 થી અહીં 'વન સ્ટોપ સેન્ટર' કાર્યરત છે. જ્યાં કેન્દ્ર દ્વારા મુખ્યત્વે ઘરેલુ હિંસા

અને મહિલાઓના ઉત્પીડનને રોકવા માટે સેવાઓ પૂરી પાડવામાં આવે છે.”

કેન્દ્રમાં, મહિલાઓને એક જ જગ્યાએથી આશ્રય, તબીબી, કાનૂની સહાય, પોલીસ સહાય અને

કાઉન્સેલિંગ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેણી જણાવે છે કે,” અત્યાર સુધીમાં 'વન સ્ટોપ સેન્ટર'માં કુલ 15,683 કેસ મદદ માટે

આવ્યા છે.જેમાંથી લગભગ 80 ટકા કેસ ઉકેલાઈ ગયા છે.” તેમણે જણાવ્યું હતું કે,” વન

સ્ટોપ સેન્ટર ઇન્દોરે ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓના પુનર્વસન માટે, વિવિધ તાલીમો

પણ આપી છે.તેમને મુદ્રા વગેરે જેવી સ્વ-રોજગાર યોજનાઓ સાથે જોડ્યા છે.તેમને નોકરી

અપાવી છે.વિવિધ જરૂરી દસ્તાવેજો બનાવ્યા છે.નાણાકીય સહાય

પૂરી પાડી છે વગેરે વગેરે.”

મહિલા અને બાળ વિકાસ વિભાગના ઇન્દોર વિભાગના સંયુક્ત નિયામક

ડૉ. સંધ્યા વ્યાસ જણાવે છે કે,” છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ તેમના અધિકારો

પ્રત્યે જાગૃત થઈ છે.”

છેલ્લા નવ વર્ષથી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે.જ્યાંથી મહિલાઓને

માત્ર તમામ પ્રકારની મદદ જ મળી રહી નથી, પરંતુ તેમને આત્મનિર્ભર બનાવવા માટે પણ કામ કરવામાં આવી

રહ્યું છે. ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓની ઘરેલુ હિંસા સંબંધિત સમસ્યાઓના ઉકેલ, સફળતા અને

પુનર્વસન પર ભાર મૂકવામાં આવે છે. વિભાગ મહિલાઓની ઇચ્છા અને ક્ષમતાઓ અનુસાર તેમને

તમામ પ્રકારની તાલીમ આપવાનું કામ કરે છે.તેથી ઇન્દોરનું

વન સ્ટોપ સેન્ટર અન્ય રાજ્યોને પણ પ્રેરણા આપી રહ્યું છે.”

ઉલ્લેખનીય છે કે, વન સ્ટોપ સેન્ટર (ઓએસસી) મિશન શક્તિ હેઠળ,

સંબલ વર્ટિકલનો એક ઘટક છે. તે ખાનગી અને જાહેર બંને સ્થળોએ એક છત નીચે હિંસાથી

પ્રભાવિત અને મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને સંકલિત મદદ અને સહાય પૂરી પાડે છે. તે

જરૂરિયાતમંદ મહિલાઓને તબીબી સહાય, કાનૂની સહાય અને સલાહ, કામચલાઉ આશ્રય, પોલીસ સહાય અને મનો-સામાજિક કાઉન્સેલિંગ જેવી સેવાઓ પૂરી

પાડે છે. હાલમાં, દેશભરમાં 802 ઓએસસીતેમના પોતાના

મકાનોમાં અથવા હાલના સરકારી મકાનોમાં અથવા ભાડાના મકાનોમાં કાર્યરત છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande